ગુજરાત પ્રવાસમાં PM મોદીને મળ્યો Sindoor Plant તો ઈંટરનેટ પર વધી ગઈ સર્ચ, જાણો આ છોડની કિમંત અને મહત્વ
ઓપરેશન સિંદૂર પછી ગુજરાતના પહેલા પ્રવાસ પર પહોચેલા પીએમ મોદીને કચ્છમાં 1971 યુદ્ધની વીર મહિલાઓએ સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો. પીએમ મોદીએ આ છોડને નવી દિલ્હી સ્થિત લોક કલ્યાણ માર્ગના પોતાના રહેઠાણ પર લગવવાનુ એલાન કર્યુ છે. પીએમ મોદીએ કચ્છ ભુજમાં પાકિસ્તાનને ગોળીની ચેતવણી આપતા માઘાપારની મહિલાઓનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે 1971 ના યુદ્ધમાં જે મહિલાઓએ ભુજ એયરબેસની હવાઈ પટ્ટીને માત્ર 72 કલાકમાં ઠીક કરી દીધી હતી. એ મહિલાઓનો પણ મને આશીર્વાદ છે આવામાં પાકિસ્તાન કાન ખોલીને સાંભળી લે, તે સુખ ચેનથી રોટલી ખાય નહી તો પછી મોદીની ગોળી છે જ.
ઈંટરનેટ પર વધી શોઘખોળ
કચ્છમાં પીએમ મોદીને સિંદૂરનો છોડ ભેટ આપ્યા પછી તેની ઈંટરનેટ પર શોધખોળ વધી ગઈ છે. સિંદૂરનો છોડ, જેને કમીલા ટ્રી પણ કહેવામાં આવે છે. સાઉથ અમેરિકા અને કેટલાક એશિયાઈ દેશોમાં જોવા મળે છે. આ ભારતના મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ છોડને ફળથી સિંદૂર જેવી લાલ ડાઈ બને છે, જે પાવડર અને લિકવિડ ફોર્મમા મળી રહે છે. આ છોડનુ બૉટેનિકલ નામ બિક્સા ઓરેલાના છે. તેને સિંદૂરી, કપીલા, કમીલા, માલોટસ, ફિલિપિનેસિસ નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડના ફળમાંથી નીકળનારા બીજને વાટીને પ્રાકૃતિક સિંદૂર બનાવવામાં આવે છે. પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર લોંચ કર્યુ હતુ. પીએમ મોદીએ રાજસ્થાનના બાડમેરમાં કહ્યુ હતુ કે તેમના શરીરમાં લોહી નહી હવે સિંદૂર દોડી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે ઓપરેશન સિંદૂર માનવતાને બચાવવા અને આતંકવાદનો ખાત્મો કરવા માટે છે. ઈંટરનેટ પર સિંદૂર પ્લાંટ એટલે કે કુમકુમ ટ્રી ની કિમંત 190 રૂપિયાથી લઈને 599 રૂપિયા સુધી બતાવાય રહી છે.
કેવી રીતે ઉગાડી શકો છો સિંદૂરનો છોડ ?
જો તમે સિંદૂરનો છોડ ઘરમાં ઉગાડવા માંગો છો તો તમે તેના બીજોથી છોડ તૈયાર કરી શકો છો. છોડને તાપમાં મુકવા માટે એક એવા સ્થાનને પસંદ કરો જ્યા તેને પર્યાપ્ત રોશની મળે. છોડને પાણી આપવા માટે નિયમિત અંતરે પાણી આપો. છોડને ઠીક મુકવા માટે તેને ખાદ્ય અને અન્ય પોષક તત્વ પણ આપો. ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનુ વિશેષ મહત્વ છે. ખાસ કરીને વિવાહિત મહિલાઓ માટે. સિંદૂરને સેંથામાં લગાવવાનો રિવાજ છે, જે સુહાગનુ પ્રતિક છે. બોલીવુડની અનેક ફિલ્મોમાં સિંદૂરનુ મહત્વ બતાવ્યુ છે. સિંદૂરને પરિણિત સ્ત્રીઓ લગાવે છે. તે પોતાના પતિની રક્ષા માટે પ્રાર્થના પણ કરે છે. પહેલગામ આતંકી હુમલામાં આતંકવાદીઓએ સિંદૂર ઉજાડવાનુ કામ કર્યુ હતુ. ત્યારે પીએમ મોદીએ બદલો લેવાનુ એલાન બિહારની ધરતી પરથી કર્યુ હતુ.