1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
  4. What is Guillain Barre Syndrome Symptoms

Guillain-Barre syndrome : પુનામાં ફેલાય રહેલી ભયાનક બીમારી ગુઈલેન-બૈરે સિંડ્રોમ શુ છે ? જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાયો

Guillain-Barre syndrome
Guillain-Barre syndrome
Guillain-Barre syndrome  - મહારાષ્ટ્રના પુણેમાં ગુડલેન-બૈરે સિંડ્રોમ (GBS)ના વધતા મામલાએ લોકો વચ્ચે ખરાબ રીતે દહેશત ફેલાવી દીધી છે. પુણેમાં આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા 100ના પણ પાર પહોચી ગઈ છે. બીજી બાજુ સોલાપુર જીલ્લામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે.  સ્વાસ્થ્ય અધિકારીઓના મુજબ ગુડલેન-બૈરે સિંડ્રોમના કારણે મહારાષ્ટ્રમાં મોતનો આ શકયત મામલો છે. અધિકારીઓના મુજબ મૃતક વ્યક્તિ પણ પુણે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુડલેન-બૈરે સિંડ્રોમના કારણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રૈંકલિન ડી રુજવેલ્ટનુ પણ મોત થઈ ચુક્યુ છે. આવો જાણીએ આ ગુઈલેન બૈરે સિંડ્રોમના લક્ષણ શુ છે અને તેની સામે આવ્યા પછી શુ હાલત છે. 

ગુઈલેન-બૈરે સિંડ્રોમ શુ છે ? 
આ એક ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આમાં ઈમ્યુનિટી પેરિફેરલ નર્વસ સિસ્ટમના નર્વ્સ પર હુમલો કરે છે. આના કારણે, લોકોને ઉઠવું, બેસવું, ચાલવું અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
 
આપણી નર્વસ સિસ્ટમ બે ભાગ ધરાવે છે. પ્રથમ કેન્દ્રિય ચેતાતંત્ર છે, જેમાં કરોડરજ્જુ અને મગજનો સમાવેશ થાય છે. બીજું પેરિફેરલ નર્વસ સિસ્ટમ છે, જેમાં આખા શરીરમાં અન્ય બધી ચેતાઓ શામેલ છે. ગુઇલેન-બેરે સિન્ડ્રોમમાં, રોગપ્રતિકારક શક્તિ નર્વસ સિસ્ટમના બીજા ભાગ પર, એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે.
 
શુ છે આ બીમારીના લક્ષણ ?
ઉલ્લેખનીય છે કે ગુઈલેન-બૈરે સિંડ્રોમ એક રોગ પ્રતિરોધી ક્ષમતા સંબંધિત રેયર બીમારી છે. જેના કારણે શરીરના કેટલાક ભાગ અચાનક સુન્ન પડી જાય છે અને માંસપેશીઓ કમજોર પડી જાય છે. આ બીમારીને કારણે હાથ અને પગમાં પણ ગંભીર કમજોરીના લક્ષણ દેખાય છે.  ડોક્ટરોના મુજબ ગુઈલેન-બૈરે સિંડ્રોમનુ કારણ સામાન્ય રીતે જીવાણુ અને વાયરલ સંક્રમણ છે. આ દર્દીઓની ઈમ્યુનિટીને કમજોર કરી દે છે.  
  
પુણેમાં શુ છે હાલત ?
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે માહિતી આપી છે કે પુણેમાં ગુઈલેન-બૈરે સિંડ્રોમના કુલ મામલાની સંખ્યા વધીને રવિવારે 101 થઈ ગઈ છે. સંક્રમિત દર્દીઓમાં 68 પુરૂષ અને 33 મહિલાઓ સામેલ છે. તેમાથી 16 દર્દી વેંટિલેટર પર છે. બીજી બાજુ   સોલાપુરમાં એક દર્દીનુ મોત થઈ ગયુ છે જેના સંક્રમિત થવાની શંકા હતી. 
 
વહીવટીતંત્રે અત્યાર સુધી શું કર્યું ?
 
પુણેમાં આ જીવલેણ રોગને કારણે, રેપિડ રિસ્પોન્સ ટીમ અને મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓ ગિલેન-બેરે સિન્ડ્રોમથી પ્રભાવિત સિંહગઢ રોડના વિસ્તારોમાં ચેપના કેસ પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 25,578 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ૧૫,૭૬૧ ઘરો, ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ૩,૭૧૯ ઘરો અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ૬,૦૯૮ ઘરોનો સમાવેશ થાય છે.
 
પૂર્વ રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનુ થયુ હતુ મોત 
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ કેટલી હદે જીવલેણ હોઈ શકે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટનું પણ આ રોગને કારણે મૃત્યુ થયું હતું. રૂઝવેલ્ટને લકવો થયો હતો અને તેમનું શરીર કમરથી નીચે સુધી કામ કરવાનું બંધ કરી દીધું હતું. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેનું કારણ પોલિયો છે. જોકે, પાછળથી થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે તેમના મૃત્યુનું કારણ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ હતું.
 
 
 
ये भी पढ़ें
Vasant Panchmi Recipe- બંગાળી ખીર bengali kheer recipe