શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. મહાત્મા ગાંધી
Written By
Last Updated : મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (17:41 IST)

Gandhi Jayanti 2019- 8 વસ્તુઓ જે મહાત્મા ગાંધીને હતી સૌથી વધારે પસંદ

2 ઓક્ટોબર 2019ને આખુ દેશ રાષ્ટ્રપિતા ગાંધીની 150મી જનમ જયંતીનો જશ્ન ઉજવશે. 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને આખી દુનિયા અહિંસાના પુજારીના રૂપમાં પૂજે છે. ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીના અતુલ્ય યોગદાન પર અમે ભારતીયને ગર્વ છે. મહાત્મા ગાંધીના સત્યાગ્રહની જ કારણે અંગ્રેજ ભારત મૂક્તા પર લાચાર થઈ ગયા. ગાંધીજી શાકાહારી હતા અને તેમના જીવનના એક સમયમાં તેણે ચા અને કૉફી સુધીનો ત્યાગ કરી નાખ્યુ હતું. ખાન પાનની સાથે ગાંધીજીના જેટલા પ્રયોગ કર્યા કદાચ દુનિયાના કોઈ માણસએ આહારની સાથે આટલા અને એવા પ્રયોગ કર્યા હશે. આવો જાણીએ છે મહાત્મા ગાંધીને કઈ આઠ વસ્તુઓ સૌથી વધારે પસંદ હતી. 
મહાત્મા ગાંધીને દાળ-ભાત બહુ ભાવતા હતા. દાળમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે. ગાંધીનીજીની રીતે જ દરેક ભારતીય દાળ-ભાત ખૂબ પસંદ કરે છે. 
રોટલી, ગાંધીજીની પસંદગી હતી. તે તેમના ભોજનમાં રોટલીને શામેલ કરતા હતા. ગુજરાતી પરિવારમાં હોવાના કારણે બાળપણથી જ રોટલી ગાંધીજીને પસંદ હતી. રોટલી એવી વસ્તુ હતી જેને ગાંધીજીને આજીવન ખાધું 
ગાંધીજી હમેશા તેમના ભોજનમાં દહીંને શામેલ કરતા હતા. જેમ કે અમે બધા જાણે છે કે દહીં અને છાશ એવી વસ્તુ છે જે દરેક ભારતીયને આશરે પસંદ જ હોય છે અને લોકો તેને તેમના ભોજનમાં શામેલ કરે છે. દહીં અને છાશ પાચન ક્રિયા માટે ખૂબ લાભકારી હોય છે. 
ગાંધીજીને રીંગણા પણ પસંદ હતા. મહાત્મા ગાંધી તેમના ભોજનમાં બાફેલા રીંગનાનો ભાગ લેતા હતા. 
ગાંધીજી શુદ્ધ અને સાત્વિક ભોજનને જ સારું માનતા હતા. ગાંધીજી એવા ભોજનના વિરોધી હતા જેને ખાવાથી માણસ આવેશિત થઈ જાય. ગાંધીજીને વગર મીઠું અને તેલની બાફેલી શાક લેતા હતા. ગાંધીજીને બાફેલા મૂળા અને બીટ પસંદ હતા. 
ગાંધીજીને દૂધી પસંદ હતી. દૂધીમાં ખૂબ પૌષ્ટિક તત્વ હોય છે. આ કારણે ગાંધીજી દૂધી ખાતા હતા. દૂધીની સાથે ગાંધીજીને કોળું પણ પસંદ હતું. પણ ગાંધી આ બન્ને શાકને વગર તેલ અને મીઠુના બાફીને જ ખાતા હતા. 
પેંડા- જાડા, નરમ અને દૂધ પેંડા એ ગુજરાતની પ્રિય મીઠાઈ છે. સ્થાનિક ગાયમાંથી જે દૂધ લેવામાં આવે છે તે કડક રીતે બનાવવામાં આવતી મીઠાઇઓ તે જ પેંડા ગાંધી ખાતા હતા.
 
જ્યુસ અને સ્ક્વોશ- ગાંધીએ તેમના સમર્થકોને દારૂથી દૂર થવા અને જ્યુસ અને સ્ક્વોશ જેવા પીણાઓને સ્વીકારવાનું પણ પ્રોત્સાહન આપ્યું. એવા માણસ માટે કે જે હંમેશા ઉપવાસ પર રહે છે, ફળનો રસ એ તાત્કાલિક શક્તિનો સ્રોત હતો.