CCTV: મોડાસામાં એમ્બુલેંસમાં લાગી આગ, નવજાત બાળક સહિત 4 બળીને ભડથુ
મોડાસામા હાઈવે પર એમ્બ્યુલન્સમાં જીવતા બળી જવાથી નવજાત શિશુ સહિત ચાર લોકોના મોત થયા. મૃતકોમાં પિતા, એક ડોક્ટર અને એક નર્સનો સમાવેશ થાય છે. નવજાત શિશુને અરવલ્લીથી અમદાવાદ લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો. મોડાસાના રાણા સૈયદ પાસે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. એમ્બ્યુલન્સમાં અચાનક લાગેલી આગ સીસીટીવીમાં કેદ થઈ હતી. એમ્બ્યુલન્સમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે પેટ્રોલ પંપ પર હાજર લોકો પણ કંઈ કરી શક્યા નહીં. ભીષણ આગને કારણે એમ્બ્યુલન્સ રાખ થઈ ગઈ હતી. માહિતી મળતા ફાયર બ્રિગેડે આગ ઓલવી નાખી હતી પરંતુ તમામ જીવ બચાવી શકી ન હતી. મોડાસામાં રસ્તા પર જે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી તે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની છે.
પ્રાપ્ત પોલીસસૂત્રોની માહિતી મુજબ (મો.ટા. પોલીસ સ્ટેશન અ.મોત. નં-15/2025), મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. એમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા.
એમ્બુલેન્સમાં કેવી રીતે લાગી આગ ?
અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એમ્બ્યુલન્સ રસ્તા પર દોડી રહી હતી ત્યારે અચાનક એક મોટો તણખા આવે છે. આ પછી, ડ્રાઇવર એમ્બ્યુલન્સ રોકે છે, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ જાય છે કે બધા મુસાફરો બચી શકતા નથી. એમ્બ્યુલન્સમાં એક નવજાત શિશુ સહિત ત્રણ લોકો જીવતા બળી ગયા હતા, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. એમ્બ્યુલન્સ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી