મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By

Christmas Day : નિકોલસ કેવી રીતે બન્યા સાંતા ક્લૉજ, વાંચો આ કથા, જાણો ઘરની બહાર મોજા શા માટે સુકાવે છે બાળક

Santa claus jingle bell
The History of How St. Nicholas Became Santa Claus - ક્રિસમસ ડેનો સેલિબ્રેશન શરૂ થઈ ગયુ છે. દરેક વર્ષ 25 ડિસેમ્બરને ક્રિસમસ ઉજવાય છે. પ્રચલિત કહાનીઓના મુજ્બ ચોથી શતાબ્દીમાં એશિયા માઈનરની એક જગ્યા માયરામાં સેંટ નિકોલ્સ નામનો એક માણસ રહેતો હતો. જે ખૂબ અમીર હતો પણ તેમના માતા-પિતાની મૃત્યુ ગઈ હતી. તે હમેશા ગરીંબોને ચુપચાપ મદદ કરતા હતા. તેમને  સીક્રેટ ગિફ્ટ આપી ખુશ કરવાની કોશિશ કરતો હતો. 
 
એક વારની વાત છે સંત નિકોલસને ખબર પડી કે એક ગરીબ માણસની ત્રણ દીકરીઓ છે જેમના લગ્ન માટે તેમની પાસે પૈસા ન હતા. મજબૂરીમાં તે દીકરીઓને મજદૂરી અને દેહ વ્યાપાર માટે મોકલી રહ્યા હતાં. 
આ વાત જાણી નિકોલસ આ માણસની મદદ કરવા પહોંચ્યા. એક રાત્રે નિકોલસ તે માણસના ઘરની છતમાં લાગી ચિમનીના પાસે પહોંચ્યા અને ત્યાં સોનાથી ભરેલો બેગ રાખી દીધું. તે દરમિયાન તે માણસએ તેમનો મોજા સુકાવવા માટે ચિમનીમાં લગાવી રાખ્યો હતો. આખી દુનિયામાં ક્રિસમસના દિવસે મોજામાં ગિફ્ટ આપવા એટલે કે સીક્રેટ સેંટા બનાવાનો રિવાજ છે. 
આ મોજામાંમાં  અચાનકથી  સોનાથી ભરેલુ બેગ તેમના ઘરમાં પડ્યુ. આવુ એક વાર નહી પણ ત્રણ વાર થયું. અંતમાં તે માણસે નિકોલસને જોઈ લીધું. પણ નિકોલસએ આ વાત કોઈને ન જણાવવા કહ્યુ. પણ જલ્દી જ આ વારનો હોબાળો બહાર થયું. તે દિવસથી જ્યારે પણ કોઈને સીક્રેટ ગિફ્ટ મળે તો બધાને લાગે છે કે આ નિકોલસએ આપ્યુ. ધીમે-ધીમે નિકોલસની કહાની લોકપ્રિય થઈ. કારણકે ક્રિસમસના દિવસે બાળકોને ગિફ્ટ આપવાની પ્રથા છે/ તેથી સૌથી પહેલા યૂકી ખાસકરીને ઈંગ્લેંડમાં નિકોલસની કહાનીને આધાર બનાવ્યો અને તેને ફાદર ક્રિસમસ અને ઓલ્ડ મેન ક્રિસમસ નામ આપ્યુ. ત્યારબાદ આખી દુનિયામાં ક્રિસમસના દિવસે મોજામાં ગિફ્ટ આપવાની એટલે કે સીક્રેટ સેંટા બનવાનો રિવાજ વધવા લાગ્યુ. 
નિકોલસ એક સંતના રૂપમાં ખૂબ પ્રસિદ્દ થઈ ગયા અને ન માત્ર સામાન્ય માણસ ચોરે-લુટેરા અને ડાકૂ પણ તેને પસંદ કરવા લાગ્યા. તેની ખ્યાતિ ફેલાઈ અને ક્યારે જ્યારે તેની ખ્યાતિ ઉત્તરી યુરોપમાં પણ ફેલાઈ ત્યારે લોકો આદરપૂર્વક નિકોલસને 'ક્લોઝ' કહેવા લાગ્યા. કેથોલિક ચર્ચે તેમને 'સંત'નો દરજ્જો આપ્યો હોવાથી,
 
તે 'સેન્ટ ક્લોઝ' તરીકે ઓળખાવા લાગ્યો. આ નામ પાછળથી 'સાન્તાક્લોઝ' બની ગયું, જે હાલમાં 'સાંતાક્લોઝ' તરીકે ઓળખાય છે.નાતાલના દિવસે રાત્રે બાળકો તેમના મોજાં ઘરની બહાર કેમ સૂકવે છે? ખ્રિસ્તી પરિવારોના બાળકો પણ નાતાલના દિવસે કેટલાક દેશોમાં રાત્રે તેમના ઘરની બહાર મોજાં સૂકવતા જોઈ શકાય છે. તેની પાછળની માન્યતા એવી છે
 
સાન્તાક્લોઝ રાત્રે તેમની મનપસંદ ભેટો સાથે મોજાં ભરવા આવશે. આ વિશે એક દંતકથા પણ છે. એવું કહેવાય છે કે એકવાર સાન્તાક્લોઝે જોયું કે કેટલાક ગરીબ પરિવારોના બાળકો તેમના મોજાને આગમાં સૂકવી રહ્યા છે. જ્યારે બાળકો સૂઈ ગયા, ત્યારે સાન્તાક્લોઝે તેમના મોજાં સોનાના ટુકડાથી ભર્યા અને ચુપચાપ ત્યાંથી ગયા..