1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. 6 boys drowned Ganesh visarjan

ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 6 વિદ્યાર્થીઓના મોત

Ganesh idol immersion
હૈદરાબાદ પાસે પેડ્ડા કંજરલા ગામમાં બુધવારે સાંજે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન એક તળવમાં પડીને 6 સગીર બાળકો ડૂબી જતા મોત થયુ.  પોલેસે આ માહિતી આપી.  
 
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલ એક હોસ્ટેલમ રહેનારા આઠ બાળકો વસર્જન દરમિયાન તળાવમાં પડી ગયા. તેમાથી બે છોકરાઓ બહાર નીકળવામાં સફળ રહ્યા જ્યારે કે છ અન્ય ડૂબી ગયા.  

 
પોલીસ મુજબ તળાવની માટી ભીની હોવાને કારણે આ દુર્ઘટના બની. સાથે હાજર એક પોલીસ કૉંસ્ટેબલે પીડિતોને સીપીઆર આપ્યુ પણ તેમને બચાવી શકાયા નહી.  તળાવ સુમસામ જગ્યાએ હતુ અને આસપાસ કોઈ વયસ્ક નહોતુ જે બાળકોને બચાવવાની કોશિશ કરી શકતુ. 
 
તેલંગાનાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓએ આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો. રાજ્યપાલે કહ્યુ કે ભક્તોએ વિસર્જન યાત્રા અને મૂર્તિ વિસર્જન દરમિયાન સાવધાની રાખવી જોઈએ. 

 
 મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યોકે વિસર્જન દરમિયાન યોગ્ય સાવધાની રાખે અને પીડિતોના પરિવારોને મદદ પ્રદાન કરે. 
 
આગળનો લેખ
Gold Silver Price Today- યુએસ ફેડના નિર્ણયને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે; ખરીદી કરતા પહેલા આજના નવીનતમ ભાવ તપાસો.