ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 26 મે 2021 (20:32 IST)

રામદેવ પર રાજદ્રોહનો કેસ નોંધાવવો જોઈએ, IMA એ પ્રધાનમંત્રીને પત્ર લખીને કહ્યુ

ઈંડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પતર લખીને માંગ કરી છે કે કોવિડ 19ની સારવારના માટે સરકારના પ્રોટોકોલને પડકારનારા અને રસીકરણ પર કથિત દુષ્પ્રચારવાળુ અભિયાન ચલાવવા માટે યોગગુરૂ રામદેવ પર તત્કાલ રાજદ્રોહના આરોપો હેઠળ કેસ નોંધાવવઓ જોઈએ. 
 
આધુનિક ચિકિત્સા પદ્ધતિથી ઈલાજ કરનારા ડોક્ટરોના પ્રમુખ સંગઠને એલોપૈથી વિરુદ્ધ કથિત અપમાનજનક નિવેદન માટે રામદેવને માનહાનિની નોટિસ પણ મોકલી છે. સંઘે તેમને 15 દિવસની અંદર માફી માંગવા કહ્યુ છે. તેણે કહ્યુ છે કે આવુ ન થતા તેઓ તેમની પાસેથી 1000 કરોડ રૂપિયાની વળતરની રકમ માંગશે
 
આઇએમએએ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે તે ખૂબ જ સંતોષની વાત છે કે દેશમાં માત્ર વેક્સીનનના બંને ડોઝ લીધેલા લોકોમાંથી માત્ર 0.06 ટકા લોકોને કોરોના વાયરસનો મામૂલી ચેપ લાગ્યો હતો અને જેમણે રસી લીધી હતઈ તેમના ફેફડામાં અતિ ગંભીર સંક્રમણ હોવાના કેસ ખૂબ જ દુર્લભ રહ્યા. 
 
ચિકિત્સક સંઘે પોતાના પત્રમાં લખ્યું છે, "આ પ્રમાણિત છે કે ટીકાકરણના માધ્યમથી આપણે ગંભીર સંક્રમણના વિનાશકારી પ્રભાવોથી આપણી જનતા અને દએશને બચાવીએ છીએ. આવા સમયે ખૂબ જ અફસોસ સાથે તમારુ ધ્યાન દોરવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયા પર પ્રસારિત એક વિડિઓમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સીનના બંને ડોઝ લીધા પછી પણ અને એલોપેથી દવા લીધી હોવાના કારણે 10,000 ડોકટરો મૃત્યુ પામ્યા અને એલોપૈથિક દવાઓ લેવાને કારણે લાખો લોકોના મોત થયા, જેવુ કે પંતજલિ પ્રોડક્ટ્સના માલિક શ્રી રામદેવે કહ્યુ છે. 
 
તેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે આધુનિક ચિકિત્સા વ્યવસાયિકોના પ્રતિનિધિ કહેવા માંગીએ છીએ કે અમે હોસ્પિટલોમા આવનારા લાખો લોકોની સારવારમાં આઈસીએમઆર અથવા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા રજુ  કરવામાં આવેલા સૂચનોનુ અને પ્રોટોકોલનું પાલન કરીએ છીએ." જો કોઈ એવો દાવો કરી રહ્યુ છે કે એલોપથી દવાઓને કારણે લોકો માર્યા ગયા છે, તો આ મંત્રાલયને પડકારવાનો પ્રયાસ છે જેણે અમને સારવાર માટેનો પ્રોટોકોલ રજુ કર્યો"
 
આઇએમએ કહ્યુ કે આજની તારીખ સુધી અને તેની રજિસ્ટ્રીના મુજબ  કોરોના વાયરસના પ્રથમ લહેરમાં કોરોનાને કારણે 753 ડોકટરો મૃત્યુ પામ્યા હતા અને બીજી  લહેરમાં 513 ડોકટરોએ જીવ ગુમાવ્યો. 
 
તેમણે કહ્યું કે પ્રથમ લહેરમાં કોઈને પણ કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી ન હતી અને બીજા લહેરમાં પોતાનો જીવ ગુમાવનારા મોટાભાગના લોકોને વિવિધ કારણોસર રસી આપવામાં આવી ન હતી.
 
આઇએમએએ કહ્યું, "હવે કપટપૂર્ણ રીતે રસીના બંને ડોઝ લીધા પછી પણ 10,000 લોકોના મરવાની વાતો કરવી જનતા સુધી રસીકરણને પહોચાડવાના પ્રયાસોને અવરોધિત કરવાનો જાણી જોઈને પ્રયાસ છે અને તેને તત્કાલ રોકવો પડશે. 
 
તેમણે એમ પણ કહ્યું હતું કે આઇએમએ તમામ પ્રકારની દવાઓની સિસ્ટમ્સ, ખાસ કરીને ભારતીય આયુર્વેદિક દવાઓની સિસ્ટમનો આદર કરે છે.
 
આઇએમએએ લખ્યું છે કે, "અમે કોઈ એવી દવાના વિરોધી નથી કે જેને મંત્રાલય પ્રોત્સાહન આપે છે અને અમે આયુષ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલી દવાઓ આપણા મોટાભાગના જાહેર આરોગ્ય સારવાર કેન્દ્રો પર શેર કરીએ છીએ." અમે મંત્રાલયની મંજૂરી વિના કેટલીક દવાઓનો વિરોધ કર્યો હતો. "
 
સંગઠને વડા પ્રધાનને વિનંતી કરી, "અમે તમને અપીલ કરીએ છીએ કે જેઓ પોતાની કંપનીના ઉત્પાદનોના સ્વાર્થને કારણે રસીકરણ અંગે ડરનો સંદેશો ફેલાવે છે તેમની સામે યોગ્ય પગલા લેવામાં આવે અમારી દ્રષ્ટિએ, આ સ્પષ્ટ રીતે રાજદ્રોહનો મામલો છે અને આવા લોકો પર કોઈ વિલંબ કર્યા વિના રાજદ્રોહના આરોપસર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. "
 
રામદેવે વાયરલ થયેલા વીડિયોમાં રજૂ કરેલું પોતાનું નિવેદન રવિવારે પાછું ખેંચ્યું. આમાં, તે કોરોના વાયરસ ચેપની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક દવાઓ પર સવાલ કરતા સાંભળી શકાય છે અને કહે છે કે "કોવિડ -19 ની સારવાર માટે એલોપથી દવાઓ લેવાને કારણે લાખો લોકો મરી ગયા".
 
આ નિવેદનનો એલોપેથીક ડોકટરો અને આઈએમએ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને રામદેવને આ 'અત્યંત દુર્ભાગ્યપૂર્ણ' નિવેદન પાછું લેવા કહ્યું હતું.
 
એક દિવસ પછી રામદેવે આઇએમએને તેના ટ્વિટર હેન્ડલ પર ખુલ્લા પત્રમાં 25 પ્રશ્નો પૂછ્યા. તેમાં તેમણે પૂછ્યું કે શું એલોપથી હાયપરટેન્શન અને પ્રકાર 1 અને 2 ડાયાબિટીઝના દર્દીઓને કાયમી સારવાર આપી શકે છે.