1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. amar-singh-died-due-to-long-time-disease

રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, 6 મહિનાથી સિંગાપુરમાં ચાલી રહી હતી સારવાર

રાજ્યસભાના સાંસદ
રાજ્યસભા સાંસદ અમર સિંહનું સિંગાપુરમાં નિધન થયું છે. સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અમર સિંહ ગત 6 મહિનાથી સિંગાપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. અમરસિંહ સમાજવાદી પાર્ટીના સંરક્ષક હતા.

ઉલ્લેખનીય છે કે સપા(એસપી)ના પૂર્વ નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા 6 મહિનાથી ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. એક સમય ઉત્તરપ્રદેશનના કદાવર નેતાઓમાં શામેલ એવા અમરસિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહેલા મુલાયમ સિંહના નિકટના વ્યક્તિઓમાંથી એક હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.
આગળનો લેખ
અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ લોન્ચ કર્યો “હલ્દી આઈસક્રીમ”