શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (12:54 IST)

Amarnath Yatra- અમરનાથ યાત્રાને લઈને ગૃહ મંત્રી અમિત શાહએ હાઈ લેવલ મીટીંગ કરી

કેંદ્રીય મંત્રી અમિત શાહએ મંગળવારે ગૃહ મંત્રાલયમાં અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓની સમી ક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. આ વાર્ષિક તીર્થયાત્રા (Amarnath) બે વર્ષ પછી 30 જૂનથી શરૂ થશે. 
 
આ બેઠકમાં જમ્મૂ કશ્મીરના ઉપરાજ્ય પાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ એક ભલ્લા, સીઆરપીએફના ડીઝી કુલદીપ સિંહ, રાજીવ ચૌધરી સાથે બીએસએફ અને ગૃહ મંત્રાલયના અધિકારી શામેલ થયા. 
 
તાજેતરમાં કશ્મીરી પંડિત સમુદાયના રાહુલ ભટ્ટની તેમના ઑફિસમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી આ ઘટના પછી ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ત્યારબાદથી અપસંખ્યકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધારી નાખી છે.