શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (00:13 IST)

આ વખતે જનગણના એકદમ અલગ રહેશે, ગૃહ મંત્રીએ બતાવી ઈ સેસસનો પ્લાન, જાણો શુ રહેશે ખાસિયત

amit shah
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે દેશમાં ડિજિટલ વસ્તી ગણતરી થશે, જેના આંકડા સો ટકા સચોટ હશે. તેમણે કહ્યું કે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે તે આગામી 25 વર્ષની નીતિ નક્કી કરવામાં મદદ કરશે. આસામના કામરૂપ જિલ્લામાં અમીગાંવ ખાતે વસ્તી ગણતરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે ગૃહમંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વસ્તી ગણતરીના આધારે જ વિકાસનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો કેવું જીવન જીવે છે, પર્વતો, શહેરો અને ગામડાઓમાં લોકોનું જીવનધોરણ કેવું છે, આ બધું વસ્તી ગણતરીના ડેટાના આધારે જ નક્કી કરી શકાય છે.