હૈદરાબાદમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં ઓછામાં ઓછા 10 લોકોના દુઃખદ મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ખૂબ જ નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે..
સોમવારે હૈદરાબાદમાં પાટણચેરુવુ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રારંભિક માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોતની આશંકા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસની ઇમારતો હલી ગઈ હતી અને ફેક્ટરીના કેટલાક ભાગો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.