શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (09:48 IST)

Corona and Omicron News - દેશમાં કોરોનાના 3.06 લાખ નવા કેસ, ડરાવી રહ્યા છે એક્ટિવ કેસના આંકડા, 93.07 પર પહોચ્યો રિકવરી રેટ

ભારતમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે વધી રહી છે. જો કે કેટલાક રાજ્યોમાં દૈનિક કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક જેવા ઘણા રાજ્યો છે જ્યાં કોરોનાના નવા કેસોએ તણાવમાં વધારો કર્યો છે.

રવિવારે કર્ણાટકમાં કોરોના વાયરસના સંક્રમણથી  પીડિત 50,210 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તે જ સમયે, કર્ણાટકમાં એક દિવસ પહેલા 38,563 નવા કેસ નોંધાયા હતા. આ બીજી વખત છે.  જ્યારે કર્ણાટકમાં રોજના કેસની સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. ગયા વર્ષે 5 મેના રોજ 50,112 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જો કે તે સમયે મૃત્યુઆંક 346 હતો જ્યારે આજે તે 19 છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 45,449 અને મહારાષ્ટ્રમાં 40,805 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ભારતમાં કોરોના વાયરસના ચેપના 3,06,064 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 3,95,43,328 થઈ ગઈ છે.
 
શનિવારે 3 લાખ 33 હજાર 533 કોરોનાના નવા દર્દી મળ્યા હતા. આ દરમિયાન 2.59 લાખ લોકો સાજા થયા હતા, જ્યારે 525 લોકોનાં મોત થયાં હતાં. એના એક દિવસ પહેલાં શુક્રવારે 3.37 લાખ સંક્રમિત જોવા મળ્યા અને 488 લોકોનાં મોત થયાં. ગુરુવારે 3.47 લાખ લોકો સંક્રમિત મળ્યા અને 703 લોકોનાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં હાલમાં 22.43 લાખ એક્ટિવ કેસ છે.
 
ત્રીજી લહેરની પીક
 
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક હજી આવી નથી. જો તમે અમેરિકા અને દક્ષિણ આફ્રિકાની કોરોનાની લહેર પર નજર નાખો તો બંને દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટવાળી લહેરમાં જ રોજના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આવું જ બીજા ઘણા દેશોમાં પણ છે. જ્યારે ભારતમાં બીજી લહેરની સરખામણીમાં હજુ પણ ઓછા કેસ મળી રહ્યા છે.
 
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 14,74,753 સેમ્પ્લ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 71,69,95,333 સેમ્પ્લ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
 
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 439 લોકોના મોત થયા 
 
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 3,06,064 નવા કેસ નોંધાયા છે અને 2,43,495 લોકો સ્વસ્થ થયા છે અને 439 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં ગઈકાલની સરખામણીએ 27,469 ઓછા કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે કોરોના વાયરસના 3,33,533 કેસ નોંધાયા હતા