શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 જાન્યુઆરી 2022 (19:43 IST)

Assembly Election 2022: 31 જાન્યુઆરી સુધી ફિજિકલ રેલી નહી કરી શકે રાજનીતિક પાર્ટીઓ, ચૂંટણી પંચે વધાર્યા પ્રતિબંધ

ચૂંટણી પંચે (Election Commission)ફિઝિકલ રેલીઓ પર પ્રતિબંધ વધાર્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હવે કોઈપણ રાજકીય પક્ષ 31 જાન્યુઆરી સુધી ફિઝિકલ રેલીઓ અને રોડ શો કરી શકશે નહીં. જોકે ચૂંટણી પંચે જાહેરસભાને મંજૂરી આપી દીધી છે. ચૂંટણી પંચે ફિઝિકલ રેલી(Physical Rally) અને રોડ શો પર પ્રતિબંધનો આદેશ 31 જાન્યુઆરી સુધી ચાલુ રાખ્યો છે. આયોગે ડોર ટુ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા 5 થી વધારીને 10 કરી છે. આ છૂટછાટ પ્રથમ તબક્કાના ઉમેદવારો માટે 28 જાન્યુઆરીથી અને બીજા તબક્કા માટે 1 ફેબ્રુઆરીથી લાગુ થશે.
 
 
10 લોકો કરી શકશે ડોર ટુ ડોર કેમ્પેઈન 
 
ચૂંટણી પંચે કહ્યું કે 31 જાન્યુઆરી, 2022 સુધી રોડ શો, પદ-યાત્રા, સાઇકલ/બાઇક/વાહન રેલી અને સરઘસની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ડોર ટુ ડોર ઝુંબેશ માટે 5 વ્યક્તિઓની મર્યાદા વધારીને 10 વ્યક્તિ કરવામાં આવી હતી. પંચે જણાવ્યુ કે  COVID વિડિયો વાનને પ્રતિબંધો સાથે નિયુક્ત ખુલ્લી જગ્યાઓમાં પ્રચાર માટે મંજૂરી આપવામાં આવી છે. રાજકીય પક્ષો અથવા પહેલા ચરણ માટે ચૂંટણી લડતા ઉમેદવારોની ફિઝિકલ  જાહેર સભાઓ માટે 28 જાન્યુઆરી, 2022 થી અને બીજા ચરણ માટે 1 ફેબ્રુઆરી, 2022 થી છૂટ આપવામાં આવી છે
 
સ્વાસ્થ્ય સચિવો સાથે કરી હતી બેઠક 
 
શનિવારે, ભારતના ચૂંટણી પંચે કેન્દ્રીય આરોગ્ય સચિવ અને પાંચ રાજ્યોના મુખ્ય સ્વાસ્થ્ય સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. ચૂંટણી પંચે કહ્યું છે કે તે પરિસ્થિતિની ફરી સમીક્ષા કરશે અને ભવિષ્યમાં ભૌતિક રેલીઓને મંજૂરી આપવી કે કેમ તે અંગે વધુ નિર્ણય લેશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર થશે.
 
ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય આ રાજ્યોમાં ચૂંટણી પહેલા વધુમાં વધુ મતદારોને રસીકરણ કરવાનો છે. ઉત્તર પ્રદેશમાં હાલમાં 98,238 સક્રિય કોવિડ 19 કેસ છે. યુપીએ અત્યાર સુધીમાં તેની 18+ કેટેગરીની વસ્તીના 96 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે.
 
આ ઉપરાંત, પંજાબમાં શુક્રવારે વધુ 28 લોકો કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા,  અને 7,792 નવા કોરોનાવાયરસ કેસમાંથી સંક્રમણની સંખ્યા વધીને 7,00,222 થઈ ગઈ. પંજાબમાં સક્રિય કેસની સંખ્યા 48,183 છે, જ્યારે રાજ્યનો સંક્રમણ દર 17.95 ટકા છે. આ દરમિયાન, ઉત્તરાખંડે તેની  99 ટકા વસ્તીને COVID-19 રસીનો પ્રથમ ડોઝ અને 84 ટકા વસ્તીને બીજા ડોઝની વેક્સીન આપી.