શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (19:31 IST)

Delhi New CM Announcement : કોણ બનશે દિલ્હીના સીએમ? નામ ટૂંક સમયમાં થશે જાહેર

delhi new cm
delhi new cm

 Delhi New CM Announcement - દિલ્હી રામલીલા મેદાનમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રી શપથગ્રહણ સમારંભની તૈયારીઓ જોર શોરથી કરી રહ્યા છે. શપથગ્રહણ સમારંભ 20 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે થવુ નક્કી થયુ છે. શપથ ગ્રહણની તારીખ અને સમય ભલે નક્કી થઈ ચુક્યા છે પણ મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય બુધવારે સાંજે થશે. ઉલ્લેખનીય છે કે બુધવારની સાજે 6 વાગે બીજેપી ધારસભ્ય દળની બેઠક થવાની છે, જેમા નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવવામાં આવશે. 


આગામી કલાકમાં તમામ માહિતી ઉપલબ્ધ થશે.
દિલ્હી બીજેપી વિધાનસભ્ય દળની બેઠક માટે પાર્ટી કાર્યાલય પહોંચવા પર બીજેપી નેતા રામવીર સિંહ બિધુરીએ કહ્યું, 'આગામી એક કલાકમાં તમને તમામ માહિતી મળી જશે.

- બાંસુરી સ્વરાજ ભાજપ કાર્યાલય પહોંચ્યા
બીજેપી વિધાયક દળની બેઠક પહેલા બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજ પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા.
 
શપથગ્રહણ સમારંભમાં જોવા મળશે અનેક મોટા ચેહરા 
મુખ્યમંત્રી તો હાલ નક્કી થયા નથી પણ એ નક્કી છે કે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ ભવ્ય થશે. નવી સરકારના શપથગ્રહણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્ર સરકારના અનેક કેબિનેટ મંત્રી, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, NDA ના સહયોગી દળના નેતા, મોટા-મોટા સાધુ સંત અને ઉદ્યોગપતિ પણ સામેલ થશે. દિલ્હી બીજેપીના 30 હજાર કાર્યકર્તાઓને પણ શપથગ્રહણ સમારંભમાં બોલાવવામાં આવ્યા છે. 
 
રામલીલા મેદાનમાં જ કેમ થઈ રહ્યુ છે શપથગ્રહણ ?
અનેક લોકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો હશે કે છેવટે બીજેપીએ રામલીલા મેદાનને જ શપથગ્રહણ સમારંભ માટે કેમ પસંદ કર્યુ ? ઉલ્લેખનીય છે કે અન્ના હજારેનુ આંદોલન રામલીલા મેદાનમાં થયુ હતુ ત્યારબાદ દિલ્હીથી કોંગ્રેસની વિદાય થઈ અને આમ આદમી પાર્ટી સત્તામાં આવી. સત્તામાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે દરેક વખતે રામલીલા મેદાનમાં જ શપથ લીધી. કારણકે અન્ના આંદોલને અહીથી જ જોર પકડ્યુ હતુ. તેથી બીજેપીએ દિલ્હીની સત્તા પરથી અરવિંદ કેજરીવાલની વિદાયનો જશ્ન પણ રામલીલા મેદાનમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. 
 
મંગળવારે બીજેપીના ઓફિસમાં થઈ જરૂરી બેઠક 
ઉલ્લેખનીય છે કે બુધવારે થનારી ધારાસભ્ય દળની બેઠક પહેલા મંગળવારે દિલ્હી BJPની ઓફિસમાં 2 મોટી બેઠક થઈ. પહેલી બેઠકમાં દિલ્હીના બધા સાંસદ અને દિલ્હી બીજેપીના બધા પદાધિકારી સામેલ થયા. બપોરે બાદ થયેલી મીટિંગમાં બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, વિનોદ તાવડે, દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને તરુણ ચુઘ પણ હાજર હતા.  ત્યારબાદ બધા નેતા શપથ ગ્રહણની તૈયારીઓ જોવા માટે રામલીલા મેદાનમાં  ગયા.