સંબંધિત સમાચાર
- Delhi Election Results Live Updates : અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હાર્યા, કાલકાજીથી સીએમ આતિશી ચૂંટણી જીતી
- LIVE: Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પક્ષવાર પરિણામ
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી, પરિણામો પહેલા જ AAP અને BJP વચ્ચે આરોપ પ્રત્યારોપોનું જોરદાર ધમાસાન
- Jeet Adani Wedding: પુત્ર જીતના લગ્ન પર ગૌતમ અડાનીએ ખોલી દીધો ખજાનો, દાન કર્યા 10 હજાર કરોડ રૂપિયા
- Rain Alert- 8 થી 12 ફેબ્રુઆરી સુધી વરસાદ, તોફાન અને વાવાઝોડાની હાઈ એલર્ટ
Delhi Election Result: એ 6 મોટા કારણ જેને લીધે દિલ્હીમાં હારી ગઈ કેજરીવાલની AAP
aam aadmi party
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વોટોની ગણતરી બતાવી રહી છે કે આમ આદમી પાર્ટી ખૂબ મોટી હાર તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ સવારથી જ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી 2 0-25 સીટ આગળ ચાલી રહી છે. હા વચ્ચે થોડી રસાકસી...5-10 સીટોનુ અંતર એવુ જોવા મળ્યુ પણ આમ આદમી પાર્ટી 34 સીટથી આગળ ન વધી શકી અને હાલ 1.31 મિનિટે 22 સીટ પર આવી ગઈ છે.. અને આ સીટો પણ ઘટી શકે મતલબ હવે નક્કી છે કે આમ આદમી પાર્ટી ખૂબ મોટી હાર તરફ આગળ વધી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે AAPના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની જેમ દિલ્હીના લોકોની સહાનુભૂતિ કેમ ન મળી? છેવટે, બંનેના સંજોગો સમાન હતા. સરકારમાં મુખ્યમંત્રી હતા ત્યારે બંને જેલમાં ગયા અને પછી જેલમાંથી બહાર આવ્યા. તેના બદલે, અરવિંદ કેજરીવાલની સરકાર સાથે, તેમના બે વધુ મહત્વપૂર્ણ મંત્રીઓ જેલમાં ગયા. છતાં, જનતા અરવિંદ કેજરીવાલ પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવતી હોય તેવું લાગતું નથી. ચાલો જોઈએ કે આટલી મોટી હાર પાછળના કારણો શું હતા?
1- પાયાવિહોણા આરોપ અને ખોટા વચનોથી કેજરીવાલના સમર્થક પણ નારાજ હતા
અરવિદ કેજરીવાલ પોતાના વિરોધીઓ પર પાયાવિહોણા આરોપ લગાવતા રહ્યા છે. અનેકવાર તેના કારણે જ તેમને માફી પણ માંગવી પડી છે. તેમની છબિ એક એવા નેતાની બનતી ગઈ જેની વાત પર કોઈ વિશ્વાસ નથી થતો. હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે હરિયાણા સરકાર પર જાણી જોઈને ઝેરી પાણી મોકલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે હરિયાણા સરકાર દિલ્હીમાં નરસંહાર કરવા માંગે છે. જેના કારણે દિલ્હીમાં અરાજકતા ફેલાશે. તેમણે કહ્યું કે દિલ્હી જલ બોર્ડના એન્જિનિયરોએ સરહદ પર જ હરિયાણાનું પાણી બંધ કરી દીધું હતું, જેના કારણે હજારો લોકોના જીવ બચી ગયા હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના કટ્ટર સમર્થકોને પણ તેમનું નિવેદન ગમ્યું નહીં. તેના પર, હરિયાણાના સીએમ નાયબ સૈનીએ દિલ્હી બોર્ડર પર જઈને યમુનાનું પાણી પીધું અને કેજરીવાલના કથનને ખોટું જાહેર કર્યું...
2. શીશમહલ સાથે તેમની છબિને ખૂબ ધક્કો લાગ્યો
અરવિંદ કેજરીવાલ રાજનીતિમાં આવતા પહેલા કહ્યુ હતુ કે તે વીવીઆઈપી કલ્ચરને ખતમ કરીશુ. ગાડી, બંગલો અને સુરક્ષા આપવાની વાતથી પણ તેમને ઈનકાર કર્યો હતો. સત્તા મળ્યા પછી તેમણે ન ફક્ત લકઝરી ગાડીઓ લીધી ગાડી બંગલો અને સુરક્ષા લેવાની વાતથી પણ તેમને ઈનકાર કર્યો હતો પણ સત્તા મળ્યા પછી તેમણે લકઝરી ગાડીઓ લેવાની સાથે સાથે કેન્દ્ર તરફથી ઝેડ પ્લસ સુરક્ષા મળવા છતા પંજાબ સરકારની ટૉપ સિક્યોરિટી પણ તેમણે લીધી. આટલુ જ નહી મુખ્યમંત્રી હોવાને નાતે તેમણે જે પોતાને માટે એકસ્ટ્રા લક્ઝુરિયસ ઘર બનાવ્યુ તેનાથી પણ તેમની છબિ ખૂબ ડેંટ થઈ. મીડિયાએ તેમના રહેઠાણને શીશમહલનુ નામ આપ્યુ. સીએજી રિપોર્ટમાં પણ સીએમ રહેઠાણ પર થયેલા ખર્ચ પર સવાલ ઉઠાવ્યો. દિલ્હી સરકાર પર સીએજી ની નવી રિપોર્ટને વિધાનસભામાં ન મુકવાનો આરોપ લગાવ્યો. હાઈકોર્ટે પણ દિલ્હી સરકારની આ માટે નિંદા કરી.
3. યોગીના નારા પરથી કોઈ સીખ ન લીધી અને AAP વહેંચાયા એટલે કપાયા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન બટે તો કટે નુ સ્લોગન આપ્યુ હતુ. જો કે તેમનુ સ્લોગન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના સંદર્ભમાં ભારતના હિન્દુઓને એક બન્યા રહેવા માટે હતુ. પણ તેનાથી સીખ લઈને ઘણા બીજા લોકો પણ એક થઈ ગયા. પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે ન આવી શક્યા. જ્યારે કે બંને પાર્ટીઓએ જુદા લડવાનુ પરિણામ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જોઈ ચુક્યા હતા. હરિયાણામાં કોંગ્રેસ ખૂબ ઓછી માર્જિનથી સરકાર બનાવવાથી ચૂકી ગઈ. તેમ છતા દિલ્હીમાં આપ અને કોંગ્રેસે બટેગે તો કટેંગે નારા પરથી સીખ ન લીધી.
4- મહિલાઓને 2100 રૂપિયા અપવાની શરૂઆત ન કરી શક્યા
ઝારખંડમાં સીએમ હેમંત સોરેન અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ માટે વિધાનસભા ચૂંટણીમાં એક જેવા મુદ્દા હતા. પણ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પોતાની પાર્ટીને જીત ન અપાવી શક્યા. ઝારખંડમાં જેએમએમની જીતનું કારણ એ યોજના માનવામાં આવી હતી જેમાં મહિલાઓને દર મહિને એક નિશ્ચિત રકમ મળે છે. દિલ્હીમાં પણ, અરવિંદ કેજરીવાલ છેલ્લા એક વર્ષથી આ યોજના લાગુ કરવા માંગતા હતા પરંતુ તે કરી શક્યા નહીં. સામાન્ય લોકો સુધી સંદેશ ગયો કે જ્યારે અરવિંદ કેજરીવાલ આ વખતે તે કરી શક્યા નથી, તો પછી મુખ્યમંત્રી બન્યા પછી તેઓ તે કેવી રીતે કરશે. જો દિલ્હી સરકારે એક મહિના પહેલા પણ દર મહિને મહિલાઓને નિશ્ચિત નાણાકીય મદદની યોજના લાગુ કરી હોત, તો કદાચ આ પરિસ્થિતિ ન બની હોત.
5 દિલ્હીમાં ગંદા પાણીનો સપ્લાય અને રાજનીતિ
દિલ્હીમાં ફ્રીબીજની શરૂઆત કરતા જ અરવિંદ કેજરીવાલે સતત જીત પર જીત નોંધાવી દીધી. પણ મૂળભૂત સુવિદ્યાઓના અભાવને કારણે જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. સૌથી મોટો મુદ્દો હતો સ્વચ્છ પીવાનુ પાણીના સપ્લાયનો. ગરમીઓમાં લોકો પાણી માટે ત્રાહિ ત્રાહિ કરી રહ્યા હતા. સરકર ઉપર ટેંકર માફિયા હાવી હતા. આ રીતે દિલ્હી સરકારે ટેન્કર માફિયાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી. અરવિંદ કેજરીવાલે 24 કલાક સ્વચ્છ પાણી પુરવઠો આપવાનું વચન આપ્યું હતું. પણ અહીં તો થોડા કલાકો સુધી ગંદુ પાણી પણ ન મળ્યું. આ સાથે, સમગ્ર દિલ્હીમાં સ્વચ્છતા વ્યવસ્થા ભાંગી પડી હતી. આમ આદમી પાર્ટી પણ MCD પર શાસન કરતી હોવાથી, પાર્ટી પાસે કોઈ બહાનું નહોતું. આ રીતે, ધીમે ધીમે લોકોનો આમ આદમી પાર્ટી પરથી વિશ્વાસ ઉઠી ગયો.
6- કેજરીવાલ જ બનશે આગામી સીએમ તેના પર હતી લોકોને શંકા
કોર્ટના જે આદેશોને કારણે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડી દીધુ હતુ એ હજુ પણ તેમની સાથે હતુ. પાર્ટીએ આતિશીને ખડાઉ સીએમ બનાવી દીધા. જનતા સારી રીતે જાણતી હતી કે જો પાર્ટી જીતી જાય તો પણ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની શકશે નહીં. અને જો તે મુખ્યમંત્રી બનશે તો પણ તે કોઈ કામ કરી શકશે નહીં. દિલ્હીની સમસ્યાઓ એવી જ રહેશે. જો આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલને બદલે બીજા કોઈને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવ્યા હોત, તો ચિત્ર જુદુ હોત.
