સાવરકરને ભારતરત્નથી સન્માનિત કરોઃ શિવસેનાના સંજય રાઉતની માગ
શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે સાવરકરને ભારતરત્ન ઍવૉર્ડ આપવામાં આવે તેવી માગણી કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, "બ્રિટિશ સરકારે સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકરની ડિગ્રી જપ્ત કરી હતી. છતાં આપણે તેમને બેરિસ્ટર કહીએ છીએ. 10 વર્ષ પછી સરકાર બેરિસ્ટરની ઉપાધિ પાછી લાવી રહી છે તો અમે તેનું સ્વાગત કરીશું."
સંજય રાઉતે કહ્યું કે, "અમારી માગણી છે કે ડિગ્રી તો પાછી મળી જશે, તે કાગળનો ટુકડો છે. પરંતુ અમારી માગ છે કે સાવરકર સાહેબને ભારતરત્ન આપીને તેમનું સન્માન કરવામાં કેમ નથી આવતું."
"વીર સાવરકરને ભારતરત્ન ક્યારે મળશે તેનો જવાબ ફડણવીસ પાસે પણ નથી અને અમિત શાહ કે નરેન્દ્ર મોદી પાસે પણ નથી."
મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે વીર સાવરકરની બેરિસ્ટરની ડિગ્રી બહાલ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે