Jaipur News updates- જયપુરમાં 6 લોકો જીવતા સળગ્યા, 6ના મોતની પુષ્ટિ, 36 લોકોની સારવાર ચાલી રહી છે, 20થી વધુ લોકો 50 ટકા દાઝી ગયા છે વાહનો બળીને ખાખ
Jaipur news
Jaipur News updates- ટ્રકે ટેન્કરને ટક્કર મારતાં બંનેમાં વિસ્ફોટ થયો હતો. આગ લાગતા આસપાસના વાહનોને પણ લપેટમાં લીધા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો જીવતા દાઝી ગયા હતા અને કેટલાક ખરાબ રીતે દાઝી ગયા હતા. રાજસ્થાનના જયપુરમાં ભીષણ આગની ઘટના બની છે.
આ અકસ્માત સવારે 5.44 વાગ્યે થયો હતો, જ્યારે સીએનજી ટેન્કરમાં ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી હતી. આગને કારણે આસપાસના અનેક વાહનોને લપેટમાં લીધા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો બળી ગયા હતા.
जयपुर से दर्दनाक खबर आ रही है
— Priyanshu Kumar (@priyanshu__63) December 20, 2024
गैस से भरे एक टैंकर में आग लगने के कारण आसपास खड़े 70 से अधिक वाहनों में आग लग गयी। हादसे में 5 लोगों की मौत हो गई व 100 से अधिक लोग आग से झुलस गये
यह कोई छोटी घटना नहीं है। मामले को गंभीरता से लेते हुए उचित जांच होनी चाहिए।#Jaipur @BhajanlalBjp pic.twitter.com/izwJBGMwz6
અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, 41 ઘાયલોની સારવાર ચાલુ છે
મૃત્યુઆંક વધી શકે છે
40થી વધુ વાહનો બળી ગયા છે
એફએસએલની ટીમ પુરાવા એકત્ર કરી રહી છે
અજમેર હાઇવે જામ, વૈકલ્પિક માર્ગો પર ભારે ટ્રાફિક જામ
આ અકસ્માત સવારે લગભગ 5.44 કલાકે થયો હતો
લગભગ ચાર કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો
મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે અને પીડિત પરિવારોને સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.
