1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. kanpur train derailed gujarati news

કાનપુર પાસે 38 દિવસમાં બીજી ટ્રેન દુર્ઘટના, અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરતા બેના મોત 48 ઘાયલ

કાનપુર
કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા બે વ્યકિતના મોત થયા છે અને 48  લોકોને ઇજા થઇ છે. આ અકસ્માત સવારે 5.30  કલાકે થવા પામ્યો હતો. આ અકસ્માત રૂડા સ્ટેશન પર થયો હતો. ટ્રેનના બે ડબ્બા નહેરમાં ગબડી પડયા હતા. કાનપુર પાસે થોડા દિવસ પહેલા પણ રેલ્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત કાનપુરથી 50 કિ.મી. દુર થયો હતો. અકસ્માત બાદ દિલ્હી-હાવડા રૂટ બંધ કરી દેવાયો છે. 
 
ઉલ્લેખનીય છે કે કાનપુર પાસે છેલ્લા 38 દિવસમાં આ બીજી ટ્રેન દુર્ઘટના છે. પુખરાયામાં 20 નવેમ્બરના રોજ થયેલ દુર્ઘટનામાં 145 લોકોના મોત થયા હતા. 
 
- દુર્ઘટના કાનપુરથી નિઅક્ટ 50 કિમી દૂર રુરા વિસ્તારમાં થઈ.  દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા રૂટ હાલ બંધ કરવામાં આવ્યો છે.  દિલ્હી -કાનપુર શતાબ્દી કેંસલ કરવામાં આવી છે. 
- કાનપુર આઈજી જકી અહમદ મુજબ, સ્લીપરના 13 અને જનરલના 2 કોચ ડિરેલ થઈ ગયા. 
- બધા લોકોને ટ્રેનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા. 33 ઘાયલોને જીલ્લા અને 13ને કાનપુરના હલ્લેટ હોસ્પિટલમાં એડમિટ કરવામા આવ્યા. 
- રેલવેના સ્પોક્સપર્સન અરુણ સક્સેનાએ નિવેદનમાં કહ્યુ હતુ - બધા લોકો સુરક્ષિત છે. ટ્રેનના પ્રથમ પાંચ અને અંતિમ ત્રણ ડબ્બાને નુકશાન થયુ નથી.  કુલ 15 ડબ્બા પાટા પરથી ઉતર્યા જેમા 13 સ્લીપર ક્લાસ અને જનરલ છે. 
- બીજી બાજુ રેલ મિનિસ્ટ્રીએ ટ્વીટ કર્યુ, રેલ દુર્ઘટનમાં કોઈનુ મોત થયુ નથી. ફક્ત 44 લોકો ઘાયલ થયા છે. 
 
આગળનો લેખ
યૂપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે થઈ શકે છે એલાન. ચૂંટણી આયોગની તૈયારીઓ પૂરી