સંબંધિત સમાચાર
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રસ્તામાં સીતાપુરમાં ધરપકડ કરાઈ જેમાં તેમની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ
- UP ના પૂર્વ CM અખિલેશ યાદવની અટકાયત
- Lakhimpur Kheri Violence- લખીમપુર બબાલની બધી વિગત જાણો 10 પોઈંટમાં જાણો શું-શું થયુ
- Live- Lakhimpur Kheri news- લખનઉ: પોલીસ સ્ટેશનની સામે પોલીસની કાર સળગાવાઇ
- યુપીમાં મોટી દુર્ઘટના- મંત્રીની કારથી કચડાતા 3 લોકોના મોત, ઉશ્કેરાયેલા ખેડૂતોએ સળગાવી મૂકી બે ગાડીઓ
પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે થયેલી હિંસાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે.
આ બાબતે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે જ્યાં સુધી ગુનેગારોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. ગઈકાલના હંગામામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે. સાથે પોલીસે 7 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
રાજકારણ પણ ચરમ પર
આ દરમિયાન આ મામલાને લઈને લખીમપુર ખીરીથી લખનૌ સુધી બબાલ મચી ગઈ અને ભારે રાજકારણ ચાલુ છે. પોલીસે લખીમપુર જવાની જીદ્દ પર અડેલા અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, શિવપાલ યાદવ, રામગોપાલ યાદવ, સંજય સિંહ સહિત તમામ નેતાઓની ધરપકડ કરી છે. વિપક્ષનો આરોપ છે કે તેમને પીડિતોને મળવા દેવામાં નથી આવી રહ્યા.
