સંબંધિત સમાચાર
- ટ્રેનની સીટ પડવાથી ઈજાગ્રસ્ત પ્રવાસીની સારવાર દરમિયાન મોત રેલ્વેએ કહ્યુ સીટમાં કોઈ ખામી નથી હતી
- Mango Pickle Recipe - મિનિટોમાં તૈયાર થઈ જશે કેરીનુ અથાણું, વર્ષો સુધી નહી થાય ખરાબ જાણી લો રેસીપી
- ચોમાસાની શરૂઆત સાથે કેરળમાં તબાહી
- West Nile fever- કેરળમાં વેસ્ટ નાઈલ ફીવરનો પ્રકોપ અલર્ટ જાણો કેટલા કેસ આવ્યા
- Kerala: લાઈવ ટીવી શો માં ચક્કર આવતા પડ્યા કેરલ કૃષિ વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટરનુ મોત
Landslides in Wayanad,- કેરળ વાયનાડમાં ભૂસ્ખલનમાં પાંચના મોત, સેંકડો ફસાયા હોવાની આશંકા; વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ
Landslides in Wayanad kerala- વાયનાડના સ્થાનિક અધિકારીઓએ એક બાળકના મૃત્યુની પુષ્ટિ કરી છે. વાયનાડ જિલ્લાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, થોંડરનાડ ગામમાં રહેતા નેપાળી પરિવારના એક વર્ષના બાળક સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનનો વિસ્તાર જોતાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર, રાજ્યના મંત્રી બચાવ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરવા વાયનાડ જિલ્લામાં પહોંચશે.
Landslide visuals are coming in from #Wayanad #keralarains pic.twitter.com/a5Y9APcvst
— MasRainman (@MasRainman) July 30, 2024
ભારે વરસાદ પછી ભૂસ્ખલન
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે તમામ સરકારી એજન્સીઓ નાગરિકોની મદદ માટે રાહત અને બચાવ કાર્યમાં એક થઈને કામ કરી રહી છે. આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને ઇમરજન્સી ફોન નંબર 9656938689, 8086010833 જારી કર્યા છે. આ સિવાય વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી ટેકઓફ કરશે.
