સંબંધિત સમાચાર
- કચ્છના અંજારમાં ટ્રેઇલરે સ્કૂલ બસને ટક્કર મારી, 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
- School Bus Accident - મહેસાણાના ખેરાલુની સ્કૂલબસનો રાજસ્થાનમાં અકસ્માત, 2 વિદ્યાર્થીના મૃત્યુ, 21 ઇજાગ્રસ્ત
- Bus Accident- ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત
- ઉદ્યોગપતિની પત્ની ઉદયપુર જવા માટે ટ્રેનમાં બેઠી હતી, પરંતુ સફરનો અંત આવ્યો મોત...
- આવી ભૂલ ફરી નહિ થાય; બાબા રામદેવે જાહેરાતોને લઈને SCની બિનશરતી માફી માંગી
હરિયાણાના મહેન્દ્રગઢમાં ભીષણ રોડ એક્સીડેંટ, સ્કુલ બસ પલટી જવાથી 6 બાળકોના મોત, ડઝનથી વધુ ઘાયલ
Mahendragarh bus accident
હરિયાણાના મહેન્દ્રગઢ જીલ્લામાં ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ બાળકોના મોત થયા છે. જ્યારે કે અનેક બાળકો ઘાયલ છે. આજે સવારે એક પ્રાઈવેટ શાળાની બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ. દુર્ઘટના કનીના કસ્બાની પાસે કનીના દાદરી માર્ગ પર થઈ. અત્યાર સુધી પ્રશાસને પાંચ બાળકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ડઝનેક બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
અનેક ઘરો શોકમાં ગરકાવ
અકસ્માતમાં ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોના ઘરોમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ખૂબ જ સ્પીડમાં હતી. આ અકસ્માતમાં અનેક બાળકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.
