સંબંધિત સમાચાર
- મણિપુરમાં ફરી હિંસા ભડકી, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર હુમલો, ઈન્ટરનેટ બંધ, કર્ફ્યુ
- Manipur: જિરિબામમાં લાપતા વ્યક્તિની હત્યા મામલામા સ્થાનીક લોકોનુ પ્રદર્શન, રાજ્ય સરકારે લગાવ્યુ કરફ્યુ
- મણિપુરમાં હિંસા: કેમ્પ પર હુમલો, ફાયરિંગમાં બેના મોત, બે ઘાયલ
- Year Ender 2023: આ વર્ષની સૌથી મોટી ઘટના, જેણે શરમથી ઝુકાવ્યુ દેશવાસીઓનુ મસ્તક
- AAp ના Kailash Gehlot રાજીનામું આપ્યું ત્યારે ભાજપે તેમનું સ્વાગત કર્યું.
મણિપુરમાં ફરી હિંસા ભડકી, CM બિરેન સિંહના ઘર પર હુમલો, 23 લોકોની ધરપકડ, ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
Manipur Violence- મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીંના ઇમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાન પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યાના એક દિવસ બાદ, મણિપુર પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે.
આ ધરપકડો ઘણા ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી બાદ કરવામાં આવી છે.
શનિવારે ઇમ્ફાલ ખીણના કેટલાક જિલ્લાઓમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, આતંકવાદીઓ દ્વારા કથિત રીતે અપહરણ કરાયેલ જીરીબામમાં છ મૃતદેહો મળ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોમાં આગ લગાવી દીધી હતી અને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.
