1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Manipur Violence

મણિપુરમાં ફરી હિંસા ભડકી, CM બિરેન સિંહના ઘર પર હુમલો, 23 લોકોની ધરપકડ, ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

Manipur Violence
Manipur Violence- મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીંના ઇમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાન પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યાના એક દિવસ બાદ, મણિપુર પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે.
 
આ ધરપકડો ઘણા ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી બાદ કરવામાં આવી છે.
 
શનિવારે ઇમ્ફાલ ખીણના કેટલાક જિલ્લાઓમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, આતંકવાદીઓ દ્વારા કથિત રીતે અપહરણ કરાયેલ જીરીબામમાં છ મૃતદેહો મળ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોમાં આગ લગાવી દીધી હતી અને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.
 
આગળનો લેખ
તીવ્ર ઠંડી અને આંધી - વંટોળની ચેતવણી; 5 રાજ્યોમાં વાદળો વરસશે, જાણો ક્યાં રહેશે ધુમ્મસ