બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (11:14 IST)

Norovirus : નોરાવાયરસનો વિસ્ફોટ, 19 છાત્રો સંક્રમિત, જાણો શું છે લક્ષણો અને કેવી રીતે બચવું

norovirus
કેરળના આરોગ્ય વિભાગે સોમવારે એર્નાકુલમ જિલ્લામાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ધોરણ 1 ના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. બંને વિદ્યાર્થીઓમાં ઝાડા અને ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તપાસમાં ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ છે.
 
નોરોવાયરસ શું છે?
 
નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જેનો જ્યારે ચેપ લાગે છે ત્યારે ઉલ્ટી અને ઝાડા થાય છે. શરીરની જઠરાંત્રિય પ્રણાલી પર તેની અસરોને કારણે વાયરસને પેટના ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોરોવાયરસ માત્ર બાળકોને જ નહીં કોઈને પણ તેનો શિકાર બનાવી શકે છે. વાયરસ દૂષિત ખોરાક અને સપાટી મારફતે ઝડપથી ફેલાઈ શકે છે. યુએસ સીડીસી અનુસાર, એક જ વ્યક્તિને તેના જીવનમાં ઘણી વખત નોરોવાયરસનું સંક્રમણ લાગી શકે છે કારણ કે ત્યાં તેના અનેક પ્રકારના વાયરસ છે.
નોરોવાયરસ (પેટના ફ્લૂ) ના લક્ષણો શું છે?
 
- ઉલટી થવી
 
- ઝાડા
 
- પેટમાં ખેંચાણ
 
- શરદી
 
- માથાનો દુ:ખાવો
 
- સ્નાયુઓમાં દુખાવો
 
- વાયરસના સંપર્કમાં આવ્યાના 12 કલાકની અંદર લક્ષણો દેખાઈ શકે છે અને 1-2 દિવસ પછી થઈ શકે છે.