સંબંધિત સમાચાર
- કરોડોનું હેરોઇન પાકિસ્તાનથી ગુજરાત લાવવા પાછળ શું હતો પ્લાન?
- પાકિસ્તાને ભારત તરફ મોકલ્યુ ડ્રોન, બીએસએફએ 5 રાઉંડ ફાયર કરીને ષડયંત્ર કર્યુ નિષ્ફળ
- કચ્છમાં જખૌના દરિયા કિનારેથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઈન ઝડપ્યું, 6ની ધરપકડ
- પાકિસ્તાની બોટમાંથી 400 કરોડનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું, 6 પાકિસ્તાનીઓની ધરપકડ
- Blast in Pakistan: પાકિસ્તાનના કરાંચીમાં નાળામાં થયો બ્લાસ્ટ, 10ના મોત અનેક લોકો ઘાયલ
Pakistan માં મંદિરમાં તોડફોડ ઘટનાથી સ્થાનિક હિંદુઓમાં રોષનું મોજું ફરી વળ્યું
સોમવારે સાંજે કરાચીના નારાયણપુરા વિસ્તારના રાંચોર લેનમાં એક દુર્ગા મંદિરમાં મૂર્તિઓની તોડફોડનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિક હિન્દુ સમુદાયના લોકોએ સાંજથી ઇદગાહ પોલીસ સ્ટેશનની બહાર સતત વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસ ફોર્સને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઘટનાથી સ્થાનિક હિંદુઓમાં રોષનું મોજું ફરી વળ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પાકિસ્તાનમાં હિંદુ મંદિરોને તોડી પાડવાનું ચાલુ છે. આ પહેલા ગયા મહિને પાકિસ્તાનના સિંધ પ્રાંતના કોટરી સ્થિત એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી.
