1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (18:42 IST)

ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં વ્હીલચૅરના અભાવે પ્રવાસીનું મૃત્યુ

air india mumbai airport
- વ્હીલચેરની અનુ ઉપલબ્ધતાની ઘટનામાં 80 વર્ષીય પેસેન્જરનું મૃત્યુ 
-મુસાફરે પ્લેનથી એરપોર્ટ ટર્મિનલ સુધી ચાલવાનું પસંદ કર્યું
-વ્હીલચેરનું પ્રી-બુકીંગ કરાવ્યું હતું
 
Mumbai Airport - મુંબઈમાં ઍરપૉર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઍર ઈન્ડિયાની ફ્લાઈટથી ન્યૂયૉર્કમાંથી મુંબઈ આવનારા 80 વર્ષના એક વૃદ્ધને વ્હીલચૅર ન મળવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.
 
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 29 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો કારણ કે 12 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરની અનુ ઉપલબ્ધતાની ઘટનામાં 80 વર્ષીય પેસેન્જરનું મૃત્યુ થયું હતું. વ્હીલચેરના અભાવે વૃદ્ધ મુસાફરે પ્લેનથી એરપોર્ટ ટર્મિનલ સુધી ચાલવાનું પસંદ કર્યું અને બેભાન થઈ ગયા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.
 
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એર ઈન્ડિયાના 80  વર્ષીય પેસેન્જરે મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરનું પ્રી-બુકીંગ કરાવ્યું હતું. જો કે, વ્હીલચેરની ભારે માંગને કારણે તેને રાહ જોવાનું કહેવામાં આવ્યું હોવાથી તેણે ચાલવાનું નક્કી કર્યું. ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન તે પડી ગયો અને બાદમાં મૃત્યુ પામ્યો.
 
એક નિવેદનમાં, એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વ્હીલચેરની ભારે માંગને કારણે, તેણે પેસેન્જરને એરલાઈન સ્ટાફ-આસિસ્ટેડ વ્હીલચેરની રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે તેના જીવનસાથી સાથે ચાલવાનું પસંદ કર્યું હતું.

Edited By-Monica Sahu