શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (14:01 IST)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને નામ આપશે સંદેશ, ટ્વીટ કરી બતાવ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમણે ટ્વીટમા તેની માહિતી આપી અને લોકોને જોડાવવાનુ કહ્યુ. કોરોના વાયરસ મહામારીના ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી અનેકવાર દેશને સંબોધિત કરી ચુક્યા છે. તે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં પણ કોરોનાને લઈને દેશવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. હાલ સ્પષ્ટ નથી કે પ્રધાનમંત્રી આજના સંબોધનમાં શુ કહેવાના છે. સોશિયલ મીડિયા પર પણ જુદી જુદી આશંકા લગાવવા શરૂ થઈ ગયુ છે.  મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, 'આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ. તમે જરૂર જોડાવો. 

 
શુ જનતાને ફરી સતર્ક કરશે પીએમ મોદી  ?
 
શિયાળો આવવાનો છે. વિશેષજ્ઞને આ આશંકા છે કે ઠંડીને ઋતુમાં કોરોના સંક્રમણ જોર પકડશે. હેલ્થ ઈંન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલાથી જ લગભગ 8 લાખ એક્ટિવ કેસેજનો દબાવ છે. આવામાં ઠંડી અસર બતાવશે અને તહેવારી સીઝનમાં બેદરકારી થઈ તો સંક્રમણની ગતિ ખાસી વધી શકે છે. તાજેતરમાં એક ટૉપ લેવલ મીટિંગમાં પ્રધાનમંત્રીને આ વાત બતાવાઈ હતી. તમે તમારા સંદેશમાં પીએમ મોદી જનતાને સાવધ રહેતા તહેવાર ઉજવવાની ચેતવણી આપી શકે છે. મહામારી શરૂ થયા પછીથી પોતાના લગભગ દરેક ભાષણમાં પીએમે કોરોના પ્રત્યે જનતાને સતર્ક રહેવાની અપીલ કરી છે. 
 
કોરોના કેસ ઘટવાનો ટ્રેંડ પરંતુ ...
ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 76 લાખની નજીક છે. જોકે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 47 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. લગભગ ત્રણ મહિનામાં આ પહેલીવાર છે જ્યારે આટલા ઓછા કેસો નોંધાયા છે. સરકારી કોવિડ પેનલના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના 17 સપ્ટેમ્બરના રોજ શિખર પર પહોંચી હતી. ત્યારથી કેસ ઘટતા રહ્યા છે. ભારતમાં કોવિડ દર્દીઓની રિકવરી રેટ  88% કરતા વધારે છે. જો કે, ઠંડી અને તહેવારોની સીઝનને જોતા નિષ્ણાંતોએ આ કેસમાં ઉછાળાની સંભાવના વ્યક્ત કરી છે.