શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (14:42 IST)

Russia-Ukraine War - ખારકીવમાં રશિયન હુમલામાં 8ના મોત, ગભરાટનો માહોલ

રૂસ અને યૂક્રેનના વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે આ વચ્ચે યૂક્રેનના ઘણા મોટા શહેરોમાં રૂસી બોમ્બસારીથી મોટુ નુકશાન થયુ છે. બે પરમાણુ ઉરર્જાના કેંદ્ર પર પણ રૂસએ કબ્જો કરી લીધુ છે. તે સિવાય પોર્ટ સિટી મારિયુપોલ અને દક્ષિણી યૂક્રેનમાં બન્ને દેશોમાં સામાન્ય નાગરિકોને સુરક્ષિત કાઢવા માટે સીઝફાયરનો નિર્ણય કર્યો હતો જે સફળ નથી થઈ શક્યા. બન્ને જ દેશ એક બીજા પર સીઝફાયર તોડવાના આરોપ લગાવ્યા છે અને આ કારણે લોકોને સુરક્ષિત કાઢવામાં પરેશાની થઈ રહી છે. જેલેંસ્કીએ નાટોથી અપીલ કરી છે કે યૂક્રેનને નો ફ્લાઈ ઝોન જાહેર કરાશે પણ યૂરોપીય યુનિયનનો કહેવુ છે કે જો આવુ નિર્ણય કરાયુ તો વિશ્વ યુદ્ધ થઈ શકે છે. 
 
એરપોર્ટ પર રશિયન હુમલો
રશિયાએ યુક્રેનના વિનિટ્સી એરપોર્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. એરપોર્ટ બિલ્ડીંગ પડી ભાંગી અને આગ લાગી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
 
યુક્રેનનો દાવો છે કે રશિયન હુમલામાં 38 બાળકો માર્યા ગયા છે
યુક્રેનની સંસદમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 38 બાળકોના મોત થયા છે. તે જ સમયે 71 બાળકો ઘાયલ થયા છે. તેની સારવાર ચાલી રહી છે. જેમાંથી ઘણાની હાલત પણ ગંભીર છે.