સંબંધિત સમાચાર
- Big News - શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાનુ કર્યુ એલાન, જાણો શરદ પવાર વિશે
- NCP વડા શરદ પવારની તબિયત લથડી, બ્રીચ કેંડી હોસ્પીટલમાં થયા દાખલ
- Maharastra Crisis- શિંદે સરકાર છ મહિનામાં પડી શકે છેઃ પવાર
- landslide in Badrinath- બદ્રીનાથમાં ભૂસ્ખલનના ભયાનક
- મણિપુરમાં હિંસા બાદ હવે BJP MLA પર હુમલો, અમિત શાહ કરી રહ્યા છે તત્કાલ મિટિંગ
Sharad Pawar- શરદ પવારનું રાજીનામું નામંજૂર
એનસીપીની એક પેનલે શરદ પવારના રાજીનામું આપવાના નિર્ણયને નકારી કાઢ્યો હતો, જોકે 82 વર્ષીય પવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 1999માં સ્થાપેલા પક્ષના વડા તરીકે પદ છોડવા માગે છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર દ્વારા તેમના અનુગામી અંગે નિર્ણય લેવા માટે રચાયેલી સમિતિએ શુક્રવારે પદ પરથી તેમનું રાજીનામું ફગાવી દીધું હતું.
સમિતિ, જેમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, તેમના ભત્રીજા અજિત પવાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ સહિત અન્યનો સમાવેશ થાય છે, પવારને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે.
