શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (16:28 IST)

પુરી મંદિરની પૂજા માટે જ્યારથી કસ્તુરી મોકલવી બંધ કરવામાં આવી ત્યારથી નેપાળમાં થઈ રહ્યો છે વિનાશ ? જાણો જગન્નાથ મંદિરનું કનેક્શન

Kasturi supply
Lord Jagannath temple Kasturi: નેપાળમાં આ દિવસોમાં ઘણી અશાંતિ છે. જનરલ-ઝેડ યુવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન એટલા હિંસક બન્યા કે વડા પ્રધાન કે.પી. ઓલી શર્માએ રાજીનામું આપવું પડ્યું. ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે, સરકારી ઇમારતો સળગી રહી છે, અને કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં આટલી બધી અરાજકતા કેમ છે તેના ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઓડિશાના પુરી જગન્નાથ મંદિરના સેવકોએ આ હિંસાને નેપાળ દ્વારા પુરી જગન્નાથ મંદિરમાં કસ્તુરીને ન આપવાનું કારણ માન્યું છે. ચાલો જાણીએ અને સમજીએ સમગ્ર મામલો. 
 
પુરી જગન્નાથ મંદિરને કારણે નેપાળમાં હિંસા
ઓડિશાના પુરી જગન્નાથ મંદિરના સેવકો કહે છે કે આ બધું મંદિરમાં કસ્તુરીનો પુરવઠો બંધ થવા સાથે સંબંધિત છે. તેઓ માને છે કે જ્યારે પણ નેપાળે કસ્તુરી મોકલવાનું બંધ કર્યું, ત્યારે ત્યાં વિનાશ થયો. આ પહેલા ભૂકંપ જેવી કુદરતી આફતો આવી હતી, હવે આ હિંસા સામે છે.
 
કસ્તુરી શું છે અને પુરી જગન્નાથ મંદિરમાં તેની જરૂર કેમ છે?
કસ્તુરી એક દુર્લભ પદાર્થ છે જે હિમાલયના કૈલાશ ક્ષેત્રમાં માનસરોવર તળાવ પાસે મળી આવતા કસ્તુરી હરણની નાભિમાંથી નીકળે છે. પુરી જગન્નાથ મંદિરમાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચુનારા સેવક ડૉ. શરત મોહંતીએ કહ્યું, "આ કસ્તુરીનો ઉપયોગ મંદિરના દૈનિક અને ખાસ ધાર્મિક વિધિઓમાં થાય છે. ખાસ કરીને 'બનક લાગી' નામની ગુપ્ત વિધિમાં દેવતાઓને શણગારવા માટે. તેનો ઉપયોગ લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિઓને જંતુઓથી બચાવવા અને ભગવાનના ચહેરાની ચમક વધારવા માટે પણ થાય છે." તેના વિના, પૂજા અધૂરી લાગે છે, અને પરંપરાઓ પ્રભાવિત થઈ રહી છે.

કસ્તુરીની આપૂર્તિ બંધ થવાથી નેપાળમાં તબાહી ?
સેવક તેને આધ્યાત્મિક કારણ માને છે. ડૉ. મોહંતીએ યાદ અપાવ્યુ કે પહેલા જ્યારે કસ્તુરીનો પુરવઠો રોક્યો હતો ત્યારે નેપાળમાં ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓ આવી હતી. આ ઘટનાઓ પરસ્પર જોડાયેલી છે. ચુનારા સેવકોએ મંદિર પ્રશાસન અને ભારત સરકારને અપીલ કરી છે કે તે કસ્તુરીની આપૂર્તિ ફરીથી શરૂ કરવા માટે પગલા ઉઠાવે. તેમણે નેપાળના પશુપતિનાથ મંદિરનુ ઉદાહરણ આપ્યુ. જે ભારતના કેદારનાથનુ આધ્યાત્મિક જોડાણ માનવામાં આવે છે.  આ બંને મંદિરો વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો દેખાય છે. સેવકોનુ માનવુ છે કે કસ્તુરીની કમીથી ફક્ત અનુષ્ઠાન જ પ્રભાવિત નહી થાય પણ નેપાળ અને પુરી વચ્ચેનુ પ્રાચીન આધ્યાત્મિક બંધન પણ કમજોર પડશે.  
 
નેપાળી રાજાએ બંધ કરી હતી કસ્તુરી મોકલવી 
બીજી બાજુ બનક લાગી અનુષ્ઠાન સાથે જોડાયેલ સંજય કુમાર દત્તા મહાપાત્રાએ કહ્યુ કે કસ્તુરી વગર અનુષ્ઠાન અધુરા છે. મંદિર પ્રશાસન વારે ઘડીએ અનુરોધ છતા કહે છે કે નેપાળી રાજાએ કસ્તુરી મોકલવી બંધ કરી દીધી છે.  તેવી જ રીતે, મુક્તિ મંડપના પંડિત સંતોષ કુમાર દાસે જણાવ્યું હતું કે નેપાળના રાજાઓ સૂર્યવંશના છે અને પુરીના ગજપતિ રાજાઓ ચંદ્રવંશના છે. જગન્નાથ પરંપરા બંને રાજવંશોને જોડે છે, અને કસ્તુરી આ પવિત્ર વારસાનો એક ભાગ રહી છે. સેવકો કહે છે કે કસ્તુરી વિના, દૈનિક પૂજા પ્રભાવિત થઈ રહી છે અને નેપાળ-પુરી સંબંધ પણ નબળો પડી રહ્યો છે. તેઓ ઇચ્છે છે કે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવે જેથી મંદિરની પરંપરાઓ જળવાઈ રહે.