શનિવાર, 28 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (12:08 IST)

ઍક્ઝિટ પોલ એટલે શું?

exit poll
મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે તેમની સાથે સર્વેક્ષણ કરનારી સંસ્થાના લોકો પ્રશ્નોત્તરી કરે છે.
 
પ્રશ્નોત્તરીના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે મતદારે કોને મત આપ્યો હશે.
 
જુદીજુદી બેઠકો પરથી મતદાન વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.
 
માહિતીનું પૃથક્કરણ કર્યા બાદ અંદાજ કાઢવામાં આવે છે. જે-તે બેઠકો પર ઊભેલા ઉમેદવારોને કેટલા મતો મળશે, તેનું અનુમાન કરવામાં આવે છે.
 
આવાં અનુમાનોથી કયા પક્ષની મતદાનની ટકાવારી વધી-ઘટી છે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ બધી બાબતોના આકલનને ઍક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
 
આદર્શ આચારસંહિતા શું છે, તે ક્યારે લાગુ થાય છે અને તેનું પાલન ન થાય તો ઉમેદવારને જેલ પણ થાય?