પાટીદાર આંદોલન પાછળ છે આ 6 નેતાઓનો હાથ ?
પાટીદાર આંદોલન પાછળ ફોન રેકોર્ડ તપાસતા ભાજપાના છ નામો ખુલ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ,નરોત્તમ પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, પ્રવિણ તોગડિયા, એકે પટેલ, ગોરધન ઝડકિયાનુ નામ ખુલ્યુ છે. આ લોકોએ આ નેતાઓ સાથે ફોન કરવા અને મળવા કરવાની વાતો કરી છે એવુ જાણવા મળ્યુ છે.
સૌ જાણે છે કે આ નેતાઓને મોદી સાથે આડકતરી દુશ્મની છે અને ક્યાક ને ક્યાક આ બધા અસંતુષ્ટો છે. જે ભાજપાની ગુજરાત સરકારને વિખેરી નાખીને મોદી સાથે બદલો લેવા માંગે છે.