1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated :સૂરત. , શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2016 (12:05 IST)

જેલમાં હાર્દિક ઉપવાસ પર બેસ્યા, ગુસ્સે થયેલા પાટીદારોએ સૂરતમાં બે બસો ફૂંકી

રાજદ્રોહ મામલે સૂરતની જેલમાં બંધ હાર્દિક પટેલને છોડી મુકવાની માંગને લઈને ફરીથી હિંસા શરૂ કરી દીધી છે. ગુરૂવારે રાત્રે વરાછા વિસ્તારમાં પાટીદાર યુવકોએ બે બસોમાં તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી. કોઈની ધરપકડ થઈ નથી. હાર્દિક બેસ્યા ઉપવાસ પર .. 
 
- પાટીદાર આંદોલનના સહ કંવીનર નિખિલ સવાણીએ કહ્યુ પોલીસ હાર્દિક પટેલને ટોર્ચર કરી રહી છે. 
- કદાચ આ વાતથી નારાજ અજ્ઞાત પાટીદાર યુવકોએ બસોમાં આગ લગાવી દીધી 
- હાર્દિક પટેલે ગુરૂવારે જેલમાં આમરણ અનશન શરૂ કર્યા છે. 
- હાર્દિક અંડર ટ્રાયલ કૈદી છે. તેથી અત્યાર સુધી તેમને અત્યાર સુધી ઘરેથી આવવાનુ હતુ જે હવે બંધ કરી દેવામાં આવ્યુ છે.  
 
સરકાર સાજે સમજૂતીનો પ્રયત્ન 
-હાર્દિક પટેલ અને અન્ય નેતાઓની મુક્તિ માટે હવે પાટીદાર સમુહ સમજૂતી માટે તૈયાર થઈ ગયુ છે. 
- મધ્યસ્થ કરાવવા માટે સિદસરના ટ્રસ્ટી જયરામ પટેલની પસંદગી કરવામાં આવી છે. 
- જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરાવવા માટે એક સંકલન સમિતિની રચના કરવામાં આવી રહી છે. 
- સમિતિમાં અનેક મુખ્ય પાટીદાર પણ રહેશે. સમિતિના બધા મુદ્દા પર મીટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ સમજૂતીનો રસ્તો કાઢવામાં આવશે. 
 
જયરામને હાર્દિકનું પણ સમર્થન 
 
- આ વિશે જયરામનુ કહેવુ છે કે તેમને જેલમાં બંધ હાર્દિક અને અન્ય પાટીદાર યુવકો સાથે વાત કરી લીધી છે. 
- બધાએ તેમનુ સમર્થન કર્યુ છે. જયરામે સીએમ આનંદીબેન પટેલને એ લેટર પણ સોંપ્યો છે જેમા હાર્દિક અને અન્ય મિત્રોએ જયરામ પટેલની મધ્યસ્થાનું સમર્થન કર્યુ છે. 
- રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ છે હાર્દિક સહિત અનેક નેતા 
 
ઉલ્લેખનીય છે કે હાર્દિક પોલીસોને મારવા સંબંધી પોતાના એક નિવેદનને કારણે સૂરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ રાજદ્રોહના મામલે ગયા ઓક્ટોબર મહિનામાં સૂરત જેલમાં બંધ છે.