પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને અગાઉ ગુજરાત સરકારને હચમચાવી મુકનાર અને હાલમાં સુરતની લાજપોર જેલમાં રહેલા પાટીદાર લીડર ર્હાદિક પટેલે ફરી એકવાર સરકારની મુશ્કેલી વધારી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ર્હાદિક પટેલે લાજપોર જેલમાં સવારથી જ અન્્નાનો ત્યાગ કરી દીધો છે અને પોતાની શ્રેણીબદ્ધ માંગણીઓ ફરી રજૂ કરી દીધી છે. બીજી બાજુ ર્હાદિક પટેલને સમજાવવાના પ્રયાસો પણ શરૂ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ર્હાદિકે એવી પણ માંગ કરી છે કે જેલમાં રહેલા પાટીદારોને મુક્ત કરવામાં આવે. સાથે સાથે અનામતની માંગ ફરી દોહરાવી છે. સમાધાનના પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે ર્હાદિકે સરકારની મુશ્કેલી વધારી છે. લાજપોર જેલમાં બંધ પાટીદાર આગેવાન ર્હાદિક પટેલ આજ સવારથી અન્્નાનો ત્યાગ કર્યો હતો. આ અંગેની જાણ જેલરને કરી હતી. આ વાતની જેલરે ઉચ્ચ અધિકાર ટીમોને જાણ કરી હતી. જ્યાં ર્હાદિક અને સરકાર વચ્ચે સમાધાન થઈ રહ્યા છે. જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરવા આમણાત પાટીદારો યુવકો ઉપવાસ કરી રહ્યા છે. જોકે સરકાર તરફ સમાધાન અંગે હકારાત્મક વણવ્યા છે. ર્હાદિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન કરવાના અગ્રણીઓ જેરામ પટેલ રશ્મિન ર્હાદિક પ્રયત્નો કરી રહ્યા છે. જ્યાં ર્હાદિક પટેલે આજ સવાર થી અન્્ના જળનો ત્યાગ કર્યો હતો. ર્હાદિકે કહ્યું હતું કે, જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરો, અને પાટીદારોને અનામત આપો જેને પગલે ર્હાદિકે આજ સવારથી અન્્નાજળનો ત્યાગ કર્યો છે.