ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 જાન્યુઆરી 2023 (14:49 IST)

ગોધરા રમખાણોના 22 આરોપીઓ નિર્દોષ

અમદાવાદઃ ગુજરાતમાં 2002ના ગોધરા કાંડ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાયેલા રમખાણો અને તેમાં માર્યા ગયેલા લોકોના મામલામાં ગુજરાત કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ રમખાણોમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 લોકો માર્યા ગયા હતા. ફરિયાદ પક્ષ અનુસાર, પીડિતોની 28 ફેબ્રુઆરી, 2002ના રોજ હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા.
 
બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “એડીશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે મંગળવારે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાંથી આઠ કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. સોલંકીએ જણાવ્યું હતું કે, "કોર્ટે પુરાવાના અભાવે જિલ્લાના દેલોલ ગામમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 લોકોની રમખાણો અને હત્યાના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે."
 
અગાઉ પણ રમખાણોના આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાત રમખાણોના આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ચૂક્યા છે. બિલ્કીસ બાનો બળાત્કાર અને તેના પરિવારની હત્યાના કેસમાં દોષિત ઠરેલા કેદીઓ પણ આ સમય પહેલા જેલમાંથી મુક્ત થઈ ગયા હતા. ગુજરાત રમખાણ કેસમાં કોર્ટે પુરાવાના અભાવે ઘણા મોટા અને પ્રખ્યાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.