સંબંધિત સમાચાર
- ગુજરાતમા સરકારી ખર્ચે ભણીને પાંચ વર્ષમાં 327 ડૉક્ટરો વિદેશ જતા રહ્યાં, બોન્ડ પેટે 6.28 કરોડ વસૂલી રાજ્ય સરકારે સંતોષ માન્યો
- આત્મહત્યા પહેલા મહિલાએ લખેલી 18 પાનાની સ્યુસાઇડ નોટ, ડૉક્ટર પતિ અને સાસરાની ધરપકડ
- અમદાવાદમાં ગ્રામ્ય SOGએ બોળ ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલાં બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો
- ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટરો સરકાર વિરુદ્ધ ઉતર્યા હડતાળ પર
- ભારતીય મૂળ અમેરિકન ડૉક્ટર સાવચેત કર્યુ કહ્યું- 'સતત બદલાતા કોરોના વાયરસથી બચવા રહેવું તૈયાર'
૧લી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી અપાશે: ડૉ.જયંતિ રવી
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવી એ જણાવ્યુ છે કે,ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી ૧લી એપ્રિલ, ૨૦૨૧થી રાજયમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો ને કોવિડની રસી અપાશે.
ડૉ. રવી એ ઉમેર્યુ કે, ૪૫ વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવામાં આવશે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ થી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને અન્ય બિમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહિ.
વધુમાં કોવિશિલ્ડ વેક્સિન અંગે માહિતી આપતા ડો. રવીએ જણાવ્યું કે ભારત સરકારશ્રી દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સીન – કોવિશિલ્ડના ૨(બે) ડોઝ વચ્ચે ચાર થી આઠ અઠવાડિયાનું અંતર (૬ અઠવાડિયા ઇચ્છનીય) રાખવા જણાવાયુ છે.
