1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (07:54 IST)

ચિરાગ પાસવાનની ભાજપના નેતાઓ સાથે ગુપ્ત મુલાકાત, ગણાવ્યો અંગત પ્રવાસ

બિહારમાં રાજકારણના કેંદ્રમાં રહેનાર લોક જનશક્તિ પાર્ટી ફૂટ બાદ બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. ચિરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ બંને પોત પોતાના દાવા કરી રહ્યા છે. જનશક્તિમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે પાર્ટીના નેતા ચિરાગ પાસવાન આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. 
 
એલજીપી નેતા ચિરાગ પાસવાને અમદાવાદમાં ભાજપન નેતાઓ સાથે ગુપ્ત મુલાકાત કરી હતી. ચિરાગ પાસવાને તેમના આ પ્રવાસને અંગત પ્રવાસ ગણાવ્યો છે. 
 
એરપોર્ટ પર પહોંચેલા ત્યારે તેઓ સીધો જવાબ આપવાનું ટાળી રહ્યા હતા. તેમણે પૂછવામાં આવ્યું હતું કે શું તે એક વરિષ્ઠ ભાજપના નેતા સાથે મુલાકાત માટે અમદાવાદ આવ્યા છે કારણ કે આવી અટકળો છે. તો તેમણે કહ્યું કે તે અંગત પ્રવાસ પર અમદાવાદ આવ્યા છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની જ પાર્ટીમાં પડકારોનો સામનો કરી રહેલા લોકો જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાને મંગળવારે કહ્યું હતું કે ભાજપ સાથે તેમના સંબંધ એકતરફી રહી ન શકે અને જો તેમને ઘેરવાનો પ્રયત્ન ચાલુ રહેશે તો તે ભવિષ્ય રાજકીય પગલાં લઇને સંભાવનાઓ પર વિચાર કરશે.  
 
ચિરાગ પાસવાનનું કહેવું છે કે પિતા રામવિલાસ પાસવાન અને તે હંમેશા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ સાથે પહાડની માફક ઉભા રહ્યા છે, પરંતુ જ્યારે આ 'કઠિન' સમય દરમિયાન તેમના હસ્તક્ષેપની આશા હતી, તો ભાજપ સાથે ન હતી.