1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2020 (13:16 IST)

કોંગ્રેસની અરજી બાદ હાઈકોર્ટે ચૂંટણી કમિશ્નરને નોટીસ પાઠવી

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવા એક તરફ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષ પલટો કરાવવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પોતાના અન્ય ધારાસભ્યોને જયપુર લઇ ગઇ છે. ત્યારે બીજી તરફ આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ હેગોળાભાઈ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે કે, રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પર ખોટા કેસો ન થાય તે માટે કોર્ટ નિર્દેશો જારી કરે. જેથી આ મામલે હાઇકોર્ટે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 23 માર્ચના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય નાથાભાઇની આ અરજીને પહેલા જજે નોટ બીફોર મી કરી હતી. જ્યાર બાદ બીજા જજ સમક્ષ અરજી કરતા તેમણે ગ્રાહ્ય રાખી હતી.