સંબંધિત સમાચાર
- Jamnagar News - જામનગરના ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ
- જામનગરમાં પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ, રૂપાલા હાય હાય'નાં સૂત્રો શરૂ થતાં અટકાયત
- જામનગરના બેડીમાં રજાક સાયચા ગેંગની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યુ
- ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ WhatsApp Chatbot સુવિદ્યા, મિનિટોમાં અધિકારીઓ પાસે પહોચશે ફરિયાદો
- ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સમાચાર, હવે આ રીતે લગાવાશે હાજરી, મળશે લાઈવ લોકેશન રેકોર્ડ
કાંગો ફીવરથી જામનગરમાં એકનુ મોત, ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ
kango fever
ગુજરાતના જામનગરમાં કાંગો ફીવરની ચપેટમાં આવેલ એક વ્યક્તિનુ મોત થઈ ગયુ. સ્વાસ્થ્ય વિભાગ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આ બીમારીથી થનારી આ પહેલુ મોત છે. દર્દીના બ્લડ સૈપલમાં વાયરસની ચોખવટ થઈ હતી. જામનગરમાં મૃતકના ઘરની આસપાસ દેખરેખ વધારી દીધી છે.
જામનગરના મેડિકલ કોલેજમાં 27 જાન્યુઆરીના રોજ 51 વર્ષના મોહનભાઈની ક્રીમિયન-કાંગો હેમોરેજિક ફીવરને કારણે મોત થઈ ગયુ. તેમણે 21 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જામનગર મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો. એસએસ ચટર્જીએ કહ્યુ કે જામનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં કાંગો ફીવરનો આ પહેલો મામલો છે. તેમણે જણાવ્યુ કે મોહનભાઈ પશુપાલક હતા અને આ બીમારી પાલતૂ પશુઓથી જ ફેલાય છે. તેમણે જણાવ્યુ કે મોહનભાઈનુ બ્લડ સૈપલ પુણેની લૈબમા મોકલવામા આવ્યુ હતુ. જ્યા તપાસમા વાયરસની ચોખવટ થઈ.
મોહનભાઈના મૃત્યુ પછી, આરોગ્ય વિભાગે તેમના ઘરની આસપાસના વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. અધિકારીઓએ તેમના પરિવારને સ્વચ્છતા જાળવવાની પણ સલાહ આપી છે જેથી અન્ય કોઈને આ રોગનો ચેપ ન લાગે. આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે, તેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોંગો ફીવર વાયરસથી સંક્રમિત દર્દીઓને તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા રહે છે. બે થી ચાર દિવસ પછી, અનિદ્રા, ઉદાસી અને પેટમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાય છે. મોઢામાં, ગળામાં અને ત્વચા પર પણ ફોલ્લીઓ થઈ શકે છે. જો કોઈના શરીરમાં આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક તાવના વાયરસથી જીવલેણ તાવ આવે છે. તેનો મૃત્યુદર 40 ટકા સુધીનો છે. તેના માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. આ રોગથી સંક્રમિત 10 માંથી 4 લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. તેનો હજુ સુધી કોઈ ઈલાજ નથી, તેથી નિવારણ એ શ્રેષ્ઠ ઉપાય છે. આ વાયરસ મુખ્યત્વે ટિક અને પાલતુ પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. કિલ્ની એક નાનો જંતુ છે, જે પ્રાણીઓના શરીર પર જોવા મળે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, સ્ત્રાવ, અંગો અથવા અન્ય શારીરિક પ્રવાહી સાથે સીધા સંપર્ક દ્વારા પણ ફેલાય છે, તેથી ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવવું મહત્વપૂર્ણ છે. વારંવાર સાબુથી હાથ ધોવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. આ રોગ ગંભીર છે, તેથી સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે
