1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 27 જૂન 2025 (10:40 IST)

Ahmedabad Rath Yatra- અમદાવાદ રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થઈ ગયો

અમદાવાદ રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થઈ ગયો 

148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગર ચર્યા માટે લઈ જવાયો છે.

આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બની છે.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન બે હાથી બેકાબુ બન્યા 
જોકે સતર્કતા ના કારણે તરત જ હાથી પર કાબુ મેળવી લેવાયો
ગજરાજને ઈન્જેક્શન આપીને કાબૂમાં કરવામાં આવ્યા
અમદાવાદમાં 148મી રથયાત્રા હાલ ખાડિયા નજીક પહોંચી છે. અહીં એક ગજરાજ બેકાબૂ થતાં થોડી વાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પમી હતી. જોકે બાદમાં ગજરાજને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધા હતાં.

iv>