1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. fire in ahmedabad ambedkar hall

અમદાવાદમાં આંબેડકર હોલમાં લાગી આગ, 6 ફાયરફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદ
અમદાવાદના સરસપુર ખાતે આવેલા આંબેડકર હોલમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વેલ્ડિંગ કરતી વખતે આગ છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગમાં કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ આગ ધીમે ધીમે વિકરાળ બનતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે અફરતફરીનો માહોલ સર્જાયો હતો.
 
 પ્રાપ્ત માહિતી પ્રમાણે હોલમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી
આગળનો લેખ
યુએસ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ, 93 વર્ષ જૂની છે આ પરંપરા