સંબંધિત સમાચાર
- કોણ છે શમા પરવીન? અલ-કાયદા આતંકવાદી મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ, પાકિસ્તાન સાથે સીધો સંપર્ક, બધું જાણો
- ગુજરાત એટીએસને મોટી સફળતા, યૂપી-દિલ્હીથી પકડાયા અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આતંકી, જાણો અપડેટ્સ
- 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નિશાના પર હતી આધારની વેબસાઈટ, ગુજરાત ATS એ બે શંકાસ્પદોને કર્યા અરેસ્ટ
- GUJCET 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે પરીક્ષા યોજાશે
- ગુજરાત ATS એ મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો, 3 આરોપીઓની ધરપકડ કરી; દેશવ્યાપી આતંકવાદી હુમલાઓનું આયોજન
ચીનથી કર્યો MBBSનો અભ્યાસ, 'રાસાયણિક ઝેર'થી ભારતમાં તબાહી મચાવવાની યોજના બનાવી, ગુજરાત ATS એ શંકાસ્પદ આતંકવાદીઓનો કર્યો પર્દાફાશ
ગુજરાત ATS એ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો ટાળવાનો દાવો કર્યો છે. ATS એ કુલ ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATS ના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને 4 લિટર એરંડા તેલ જપ્ત કરવામાં આવ્યું છે. ATS ના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે હૈદરાબાદનો એક વ્યક્તિ, સૈયદ અહેમદ મોહિઉદ્દીન, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તે માટે અમદાવાદ આવવાનો છે. તપાસ બાદ, અમદાવાદમાં તેની પ્રવૃત્તિઓનો ખુલાસો થયો. અડાલજ નજીકના ટોલ પ્લાઝા પર તેની ધરપકડ કરવામાં આવી હતી.
રાસાયણિક ઝેરથી તબાહીનો પ્લાન
ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ચીનથી એમબીબીએસ ગ્રેજ્યુએટ થયેલ સૈયદ અહેમદ મોહિઉદ્દીન એક આતંકવાદી કૃત્ય કરવા માંગતો હતો જેનાથી ભારતને મોટું નુકસાન થાય. તે ઘણા વિદેશીઓના સંપર્કમાં હતો. તે અબુ ખાદીજા નામના ટેલિગ્રામ આઈડી દ્વારા સંપર્કમાં હતો, જે કથિત રીતે ISKP (ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત) સાથે જોડાયેલો હતો. તેણે રિસિન નામનું રાસાયણિક ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે એરંડાના બીજની પ્રક્રિયામાંથી બચેલા કચરામાંથી બનાવી શકાય છે. તે હથિયારોની ડિલિવરી મેળવવા માટે અમદાવાદ આવ્યો હતો, જે તેને કલોલથી મળ્યો હતો.
#WATCH | Ahmedabad | Gujarat ATS DIG Sunil Joshi says, "Information was received that a person from Hyderabad, Syed Ahmed Mohiuddin, was involved in terror activities and was going to come to Ahmedabad for the same... Upon investigation, his movement was detected in Ahmedabad. He… https://t.co/7A5QsKYcc4 pic.twitter.com/Vl0fLNKh6r
— ANI (@ANI) November 9, 2025
બે શંકાસ્પદોએ લીધું 'દીની' શિક્ષણ
ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના અન્ય બે શંકાસ્પદો ગુજરાતના બનાસકાંઠામાં હતા. એક લખીમપુરનો અને બીજો શામલીનો છે. તેમની ઓળખ આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ સલીમ ખાન તરીકે થઈ છે. બંનેએ ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે અને તેઓ કટ્ટરપંથી છે. ડીઆઈ જોશીએ જણાવ્યું હતું કે તેઓ વિદેશમાં રહેતા લોકોના સંપર્કમાં છે. તેમણે લખનૌ, દિલ્હી અને અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારોમાં રેકી કરી હતી. તેમની પ્રવૃત્તિઓ કાશ્મીરમાં પણ રેકોર્ડ કરવામાં આવી હતી. તેમને રાજસ્થાનના હનુમાનગઢથી માલ મળ્યો હતો અને કલોલમાં ઉતાર્યો હતો. જોશીએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે. અમને એક આરોપીના 17 નવેમ્બર સુધી રિમાન્ડ મળ્યા છે. બાકીના બેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
