શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2023 (09:00 IST)

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, 303 નવા કેસ નોંધાયા, એકનું મોત

corona testing
રવિવારે ગુજરાતમાં 303 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે આ ચેપને કારણે એકનું મોત થયું છે. રાજ્યમાં વધી રહેલા દર્દીઓને કારણે સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 1700ની આસપાસ પહોંચી ગઈ છે.
 
વલસાડમાં રવિવારે એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું હતું. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગચાળાએ 11053 લોકોના જીવ લીધા છે. નવા સામે આવેલા દર્દીઓમાંથી સૌથી વધુ 120 દર્દીઓ અમદાવાદ જિલ્લાના છે, જેમાંથી 118 શહેરમાં મળી આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 44, સુરત જિલ્લામાં 33, વડોદરા જિલ્લામાં 30, મોરબીમાં 17 સહિત રાજ્યભરમાં કુલ 303 દર્દીઓ નોંધાયા છે.
 
રવિવારે 24 કલાકમાં રાજ્યભરમાં 134 દર્દીઓને કોરોનાથી મુક્ત કરીને રજા આપવામાં આવી હતી. જે પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને 1697 થઈ ગઈ છે. જેમાંથી પાંચ વેન્ટિલેટર પર છે જ્યારે 1692ની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓમાં સતત વધારાને કારણે રિકવરી રેટ પણ નીચે આવ્યો છે. રવિવારે આ દર ઘટીને 99 ટકા થયો હતો.