Gujarat IAS Transfer -ગુજરાતમાં મોટા પાયા પર IAS નાં ટ્રાન્સફર, બંછાનિધિ અમદાવાદનાં નવા કમિશ્નર,અનીલ ધામેલીયા વડોદરાના નવા કલેક્ટર બન્યા... જુઓ લીસ્ટ
1989 બેચના IAS અધિકારી પંકજ જોશી મુખ્ય સચિવ બન્યા બાદ ગુજરાતમાં મોટા વહીવટી ફેરબદલ થયા છે. રાજ્ય સરકારે 44 IAS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકારે એવા સમયે IAS અધિકારીઓની બદલી કરી છે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કુલ 44 IAS ની બદલી કરી છે. આમાંથી 4 IAS ને પ્રમોશન પણ આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા રજુ કરાયેલી બદલીઓમાં, IAS અધિકારી બંછાનિધિ પાની (2005) ને નવા કોર્પોરેશન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે વડોદરાના નવા કલેક્ટર તરીકે IAS અનિલ ધામેલિયાની નિમણૂક કરી છે. રાજ્ય સરકારે એમ થેન્નારાસનને યુવા રમતગમત વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. પી સ્વરૂપને ઔદ્યોગિક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS ડૉ. વિનોદ રાવને શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
આઈએએસ ટ્રાન્સફરની સંપૂર્ણ યાદી
અવંતિકા સિંહને વધારાનો હવાલો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં, ડૉ. વિનોદ રામચંદ્ર રાવ, IAS (2000) ને બઢતી આપવામાં આવી છે. સરકારે તેમને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે બઢતી આપી છે. તેઓ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ તરીકે સેવા આપતા રહેશે. અનુપમ આનંદ, IAS (2000), ને પરિવહન કમિશનરના મુખ્ય સચિવ પદ પર બઢતી આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ, IAS અવંતિકા સિંહ ઔલખ (2003) ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે. IAS ડૉ. કુલદીપ આર્ય (2009) ને ધોલેરાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2016 બેચના IAS અધિકારી અનિલભાઈ ધામેલિયા હવે વડોદરાના કલેક્ટર બનશે. અત્યાર સુધી વડોદરાના કલેક્ટર રહેલા બી.એ. શાહને બઢતી આપીને નવી જવાબદારી સોંપવામાં આવી છે.