સંબંધિત સમાચાર
- ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર
- ધોરણ-10નું પરિણામ જાહેર: અંગ્રેજી માધ્યમનું 88.11 ટકા, ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ, જાણો સૌથી વધુ અને સૌથી ઓછું ક્યા જિલ્લાનું રિઝલ્ટ
- ભ્રષ્ટાચારથી ખદબદતી આરટીઓમાં વધુ એક કૌભાંડ, રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થયાં
- ગુજરાતમાં ભાજપ બે સીટો ગુમાવશે, અમિત શાહની લીડનો આંકડો ઘટી શકે છે
- વિજળી મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ દક્ષિણ ગુજરાત વીજ કંપની સમક્ષ રજૂઆત કરશે
મહીસાગર નદીમાં 5 જાનૈયાઓ ડૂબ્યા, 3 મહિલાઓ સહિત એક બાળકનું મોત
મોરબીથી જાનમાં આવેલા જાનૈયાઓમાંથી કેટલાક લોકો મહિસાગર નદીમાં નાહ્વા પડ્યા હતાં. જેમાં તેઓ ઉંડાણમાં તણાયા હોવાનું માલુમ પડ્યું છે. ઉમરેઠના પ્રતાપપુરાની આ ઘટનામાં 3 મહિલાઓ સહિત એક બાળકનું મોત થયાનું માલુમ પડ્યું છે. નદીમાં નહ્વાા પડેલા કેટલાક લોકોને તો બચાવી લેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સમગ્ર પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે ઉમરેઠના પ્રતાપપુરાની આ ઘટના છે. જ્યાં મહીસાગર નદીમાં પાંચ લોકો ન્હાવા પડ્યા હતા. જે બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એકને બચાવી લેવાયો છે. ઉપરાંત જાન મોરબીથી આવી હતી. નદીમાં ડૂબનાર લોકો જાનૈયા હતા. આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
