સંબંધિત સમાચાર
- માઉન્ટ આબુની મુલાકાતે આવેલા ગુજરાતી પર્યટકોએ વાઈન શોપની બહાર લાકડીઓ વડે હુમલો કર્યો હતો
- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ હેઠળનો બ્રિજ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત
- સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલી SUV પકડવા જતાં પોલીસકર્મીનું મોત
- ગુજરાતના ડાયમંડ ફેક્ટરી મેનેજરના મુંબઈની હોટલમાં 14 વર્ષની બાળકી પર બળાત્કાર દરમિયાન મોત
- અમરેલીમાં કારમાં રમી રહ્યા હતા ચાર બાળકો, અચાનક દરવાજો થયો લોક, દમ ઘૂંટાવવાથી ચાર બાળકોના મોત
સાવરકુંડલાને મળી 122 કરોડની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો માન્યો આભાર
Gujarat Savarkundla 122 Crores Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની દિવાળી ભેટ માટે આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે પીએમ મોદીએ પવિત્ર તહેવાર પર ગુજરાતને 4800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમાથી 122 કરોડ રૂપિયાબ્ના વિકાસ પ્રોજેક્ટ સાવરકુંડલા ક્ષેત્રને મળે છે. જેની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી દીધી છે. આ દરમિયાન તેમને કહ્યુ કે આ નવો વર્ષ વિકાસના નવા સંકલ્પોને સાકાર કરવાનુ વર્ષ હશે. તેમણે કહ્યુ કે પીએમ મોદીની સરકારમાં ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના ચાડીયા ખાતે શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત માતૃભૂમિ વંદના મહોત્સવ અંતર્ગત ગામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ બાબુભાઈ પેથાણી સરોવરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
મુખ્યમંત્રીશ્રીએ આજે અમરેલી… pic.twitter.com/AyhbC9Sf44
અગાઉ પાલિકાનુ બજેટ આખા વર્ષનુ રૂપિયા પાંચથી દસ લાખનુ રહેતુ હતુ. જયારે આજે માત્ર સાવરકુંડલા પાલિકાના 100 કરોડના કામોનુ લોકાર્પણ થઇ રહ્યું છે. સાવરકુંડલા શહેરની રોડ કનેકટીવીટી વધે તે માટે રસ્તાના કામોની ભેટ મળી છે. તેમણે સ્વ.ભગવાનબાપાને યાદ કરી જણાવ્યું હતુ કે સમુહ ખેતીના ઉન્નત વિચારને તેમણે અમલમા મુકયો હતો. આજે રોડ, પાણી, વિજળીનુ માળખુ અને વાવણીથી લઇ વેચાણ સુધીની સરકારની યોજનાથી ખેડૂતો સમૃધ્ધ થઇ રહ્યાં છે. અહી સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા અને ભરતભાઇ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
