સંબંધિત સમાચાર
- સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં રોષ ભભૂક્યો, ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા પોસ્ટર લાગ્યા
- હરિયાણાથી આરોપીને પકડીને પરત ફરી રહેલા પોલીસ જવાનોને જયપુર પાસે અકસ્માતઃભાવનગરના ચાર પોલીસકર્મીનાં મોત
- દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી 22થી 27 ફેબ્રુઆરી ગુજરાત પ્રવાસે આવશે
- Surat Grishma Murder Case - ગ્રીષ્માની અંતિમયાત્રા, પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત
- પોરબંદરના દરિયામાં દોડ લગાવતી ડોલ્ફિનનો અદભૂત નજારો, અદભૂત વીડિયો વાયરલ થયો
કોરોનાકાળમાં થયેલા લર્નિંગ લોસ દૂર કરવા રાજ્ય સરકાર બનાવશે એક્શન પ્લાન
કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આંગણવાડી અને પ્રિ સ્કૂલો બંધ રહેતા રાજ્યના ભૂલકાઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેને ધ્યાને રાખીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડી અને પ્રિ સ્કૂલો પુનઃ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આગામી તા.૧૭ ફેબ્રુઆરી, ગુરૂવારથી રાજ્યભરના આંગણવાડી અને પ્રિ સ્કૂલના સંચાલકઓ કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના ભૂલકાંઓના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને થયેલો ખૂબ મોટું શૈક્ષણિક નુકશાન થયું છે તેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે.
મંત્રી જીતુભાઈ વાઘાણી ઉમેર્યું કે, બાળકો બાલમંદિર/ પ્રિ સ્કૂલ કે આંગણવાડીમાં અભ્યાસ કરી શક્યા ન હોવાથી ધોરણ-૧ માં પ્રવેશ લેતા બાળકોનો શૈક્ષણિક પાયો નબળો રહી ના જાય તેની ચિંતા સરકાર કરી રહી છે અને તે માટે જ તેમને થયેલો લર્નિંગ લોસ દૂર કરવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
