સંબંધિત સમાચાર
- સિહોર તાલુકાનાં નેસડા ખાતે રોયલ્ટી વિનાના ૪ ડમ્પર જપ્ત કરાયાં, ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત
- સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૯ મિ.મિ વરસાદ
- સરકારી આદેશ અને વાવાઝોડા કારણે પાંચ દિવસ બાદ આજથી રસીકરણ શરૂ
- તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા
- ઉનામાં પેટ્રોલ લેવા લોકોની પડાપડી થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કલોલ નજીક એરંડા ખાઇ જતાં 21 ગાયને ફૂડ પોઇઝનિંગ, 13 નામોત
ગાંધીનગરના ડીંગુચા ગામમાં મંગળવારે 21 ગાયોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાં 13 ગાયોના મોત નિપજ્યા હતા. આ ગાયોએ ખેતરમાં ઘૂસીને એરંડાના છોડ ખાઇ જતાં ઝેર ચડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝેર ચડ્યા થોડાવાર બાદ એક પછી એક ગાયોના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીંગુચાના રબારી વાસમાં રહેતો પરિવાર પશુપાલન કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. મંગળવારે માલધારી ગાયોને લઇને ચરાવવા ગયા હતા ત્યારે ગાયો એરંડાના ખેતરમાં ઘૂસી ગઇ હતી. આ દરમિયાન 21 ગાયોએ એરંડાના છોડ ખાઇ લેતાં ઝેર ચડ્યું હતું. ત્યારબાદ એક પછી 11 ગાયોના મોત નિપજ્યા હતા.
ડીંગુચા ગામમાં રહેતા રબારી ઈશ્વરભાઈ ની 1 ગાય, રબારી રણછોડભાઈ ની 3 ગાય, રબારી લલ્લુભાઈ ની 1 ગાય, રબારી ભગવનભાઈ ની 4 ગાય, રબારી રામભાઈ ની 3 ગાય તેમજ રબારી કાનજીભાઈ ની 1 ગાય નું મોત નિપજ્યું હતું.
