1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Leeds cricketer died in air india plane crash

એયર ઈંડિયા વિમાન દુર્ઘટનામાં આ ક્રિકેટરનુ પણ થયુ મોત, જઈ રહ્યા હતા ઈગ્લેંડ, ટીમે આપી શ્રદ્ધાંજલિ

dirdh patel
dirdh patel
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એયર ઈંડિયાની ફ્લાઈટ AI-171 (787-8 Boeing Dreamliner) ના ઉડવાના થોડીક જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેન બીજે મેડિકલ કોલેજ એંડ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ પર પડ્યુ જેમા પ્લેનમાં બેસેલા 241 લોકો મળીને કુલ 275 લોકોના મોત થઈ ગયા. તેમા એક યુવા ક્રિકેટર(Dirdh Patel Cricketer)નુ પણ મોત થઈ ગયુ છે તેઓ ઈગ્લેંડ જઈ રહ્યા હતા.  
 
 અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 23 વર્ષીય દીર્ઘ પટેલનો પણ સમાવેશ થાય છે, જે ઈંગ્લેન્ડમાં લીડ્સ મોર્ડનિયન્સ ક્રિકેટ ક્લબ માટે રમ્યો હતો. તેણે હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. આ લીડ્સ ક્લબ દીર્ઘ પટેલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
 
ક્લબે કહ્યું હતું કે તેઓ તેમના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છે. "ક્લબના દરેક વ્યક્તિની સંવેદના દીર્ઘના પરિવાર અને તેમને ઓળખતા દરેક વ્યક્તિ સાથે છે."
 
બીબીસીએ એરડેલ અને વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાને ટાંકીને તેના અહેવાલમાં કહ્યું હતું કે, "દીર્ઘ તેની નવી નોકરીમાં સ્થાયી થયા પછી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગતો હતો."
 
મેચ પહેલા ક્રિકેટરોએ રાખ્યુ હતુ એક મિનિટનુ મૌન  
 
તેમણે બતાવ્યુ કે તેમના ભાઈ કૃતિક પહેલા પૂલ ક્રિકેટ ક્લબમાં રમતા હતા. બંને ક્લબે વીકેંડમાં થયેલી પોતાની મેચો પહેલા 1 મિનિટનુ મૌન રાખ્યુ અને દીર્ઘ પટેલને શ્રદ્ધાંજલિ આપી.  
 
પૂર્વ મુખ્યમંત્રીનું પણ થયું
 
 મોત 
અમદાવાદ વિમાન દુર્ઘટનાના ઘણા વિચલિત કરનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે વિમાન ઇમારત સાથે અથડાતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેઓ તેમના પરિવારને મળવા ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તેમનું પણ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર સોમવાર, 16 જૂને કરવામાં આવ્યા હતા.
આગળનો લેખ
ગુજરાતમાં આફતનો વરસાદ, ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદથી આવતીકાલે સ્કુલ કોલેજ બંધ રહેશે