સંબંધિત સમાચાર
- Saraswati Puja 2021: જાણો કેવી રીતે થયુ દેવી સરસ્વતિનુ પ્રાગટ્ય, ભગવાન કૃષ્ણ દ્વારા મળ્યુ પૂજાનુ વરદાન
- એથ્લીટ કાગિસોની રબાડાએ પારુલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા
- CM રૂપાણીના જાહેર કાર્યક્રમમાં સી.આર.પાટીલ, નીતિન પટેલ, પ્રદિપસિંહ, ભુપેન્દ્રસિંહ, વાઘાણી સહિતના નેતાઓ અને BAPSના સંતોના સંપર્કમાં આવ્યા
- IND vs ENG, 2nd Test Day-3: ભારત મજબૂત સ્થિતિમાં, દિવસની રમત પુરી થતા સુધી ઈગ્લેંડનો સ્કોર 53/3
- IND Vs ENG Live Score Updates:ટીમ ઈંડિયા બીજા દાવમાં 286 પર ઓલ આઉટ, ઈગ્લેંડને 482 રનનુ લક્ષ્ય
Night curfew in Gujarat - 4 મહાનગરોમાં ફેબ્રુઆરી અંત સુધી રહેશે નાઇટ કર્ફ્યૂં, હવે આટલા વાગ્યાથી લાગૂ પડશે રાત્રિ કરર્ફ્યૂં
ગુજરાત સરકારે રાજ્યોના ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ)માં ચાલી રહેલા નાઇટ કરર્ફ્યુંને ફેબ્રુઆરીના અંત સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે નાઇટ કરર્ફ્યુંના સમયે (રાત્રે 11:00 થી સવારે 6.00)માં એક કલાકની રાહત આપવામાં આવી છે. આજથી નાઇટ કરર્ફ્યું રાત્રે 12.00 થી સવારે 6.00 વાગ્યા સુધી રહેશે.
ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે રાજ્યના ૪ મહાનગરોમાં તા. ર૮ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
પંકજકુમારે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં મંગળવાર તા.૧૬ ફેબ્રુઆરીથી તા.ર૮ ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કરફયુ વ્યવસ્થા અંતર્ગત રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુ અમલી રહેશે.
