સંબંધિત સમાચાર
- પાવાગઢ મંદિર અને અંબાજીમાં ગબ્બર પર ભક્તોએ શાંતિ પાઠ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી, ટ્રેનમાં ચઢવા જતાં જ ધક્કા મુક્કી થઈ, એકનું મોત
- અમદાવાદની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહના ગર્ભ, હાઈકોર્ટે ગર્ભપાતની મંજુરી આપી
- ગુજરાતમાં ઊભી થશે 1.70 લાખ રોજગારની તકો, 32 જિલ્લામાં 45 હજાર કરોડથી વધુના રોકાણ સાથે 2614 MoU થયા
- મોરબી ઝુલતો પુલ દુર્ઘટનાઃ આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જશે
Pavagadh Temple Darshan Timings - પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો, સાંજે 7:30 કલાકે મંદિરના દ્વાર થશે બંધ
Pavagadh Temple
Pavagadh Temple Darshan Timings - દિવાળીને લઈને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દિવાળીના તહેવારો વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢ જતા હોય છે. આ તરફ હવે દિવાળીના તહેવારને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જો તમે પણ પાવાગઢ દર્શન કરવા જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે.
યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે આજથી 15 નવેમ્બર સુધી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે. મહત્વનું છે કે, આજથી 15 નવેમ્બર સુધી મંદિર સવારે 5 વાગ્યે ખુલશે. આ સાથે સાંજે 7:30 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ થશે. મહત્વનું છે કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

